અમદાવાર નાં કાળુપુર વિસ્તારમાં દોશીવાડા ની પોળ માં આવેલ પ્રાચીન વલ્લભ સંપ્રદાયનું નટવરલાલજી મંદીર – ગોસ્વામી હવેલી ખાતે તારીખ ૨૯-૩૦ ઓક્ટોબર ૨૦૨૨ નાં રોજ ભવ્ય અન્નકૂટ યોજાશે. જે અંતર્ગત ૨૯/૧૦/૨૨ રોજ સાંજે ૬ વાગે ગાયો ની કાનજગાઈ અને ૭ વાગે હટરી નાં દર્શન થશે અને ૩૦/૧૦/૨૨ રોજ સવારે ૧૦ કલાકે ગોવર્ધન પૂજા અને ૩:૩૦ વાગે અન્નકૂટ નાં દર્શન ખુલશે. પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ આચાર્ય રણછોડલાલજી નાં નેતૃત્વ હેઠળ આ કર્મ માં શ્રીનટવર પ્રભુ ને વિવિધ નૈવેદ્ય વાનગીઓ અર્પણ કરશે. આ મહોત્સવ દરમ્યાન બહોળી સંખ્યા માં ભીલ સમાજ ને પરસાદ વિતરણ કરવા માં આવશે. સામાજીક સમરસતા થી ભરપૂર આ પ્રસંગ માં ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ નું સૌહાર્દ દર સાલ અનેકો વૈષ્ણવ દર્શનાર્થીઓ માણે છે.
પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર...
Read more