અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને રાહત દરે વેચાણ

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને પુસ્તક વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રદર્શન તારીખ 15 ઓગષ્ટ થી 17 ઓગષ્ટ, 2018 દરમિયાન 11 થી 6 વાગ્યા સુધી રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન ખાતે ચાલુ રહેશે.

આ પ્રદર્શન દરમિયાન મહાત્મા ગાંધી, સ્વતંત્રતા ચળવળ, બાળકોના પુસ્તક તથા અન્ય પુસ્તકો પર 10 થી 90 ટકા સુધીની વિશેષ છૂટ આપવામાં આવશે.

Share This Article