અમદાવાદના નવા નરોડામાં ૯ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા એક નરાધમે તેની જ સોસાયટીમાં રહેતા એક બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. શહેરના કૃષ્ણનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા નવા નરોડાની પાશ્વનાથ સોસાયટીમાં રહેતા એક પરિવારે પોતાના ૯ વર્ષના બાળક વિરૂદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ફરિયાદીની જ સોસાયટીમાં રહેતા યોગેશ ઉર્ફે યોગો સોલંકીની ધરપકડ કરી છે.

આરોપી યોગેશ સોલંકીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે ગઇકાલે સવારે જ્યારે બાળક તેના ઘરેથી રમવા બહાર નીકળ્યું ત્યારે આરોપી યોગેશે બાળકને તેના અન્ય મિત્રો મારા ઘરે રમે છે અને તેને ચોકલેટ આપુ તેવી લાલચ આપી બાળકને ધાબા પર લઈ ગયો હતો અને ત્યાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે સમગ્ર મામલે પરિવારને ખ્યાલ આવતા આરોપી યોગેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલતો પોલીસે ફરિયાદને આધારે આરોપી યોગેશ ઉર્ફે યોગો સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે અગાઉ આ આરોપી યોગેશે અન્ય કોઈ બાળક કે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યા છે કે કેમ.

Share This Article