અમદાવાદ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યભરમાં તીવ્ર ઠંડીનો અનુભવ હાલમાં થઈ રહ્યો છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. બીજી બાજુ તંત્ર તરફથી કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન કોલ્ડવેવની સ્થિતિ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં કોલ્ડવેવ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. કોલ્ડવેવની સ્થિતિના કારણે વધુ ઠંડીનો અનુભવ લોકોને થનાર છે. બીજી બાજુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રી નોંધાયું હતું.
નલિયામાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતા લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી થયું છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૧૧ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આજે કોલ્ડવેવની ચેતવણી ફરીથી જારી કરાઈ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવ રહેતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડી પ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.
અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આંશિકરીતે વધ્યું હોવા છતાં દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વ†ોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વ†ોના બજારમાં જારદાર તેજી જામી છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પારો આવતીકાલે યથાસ્થિતિમાં રહી શકે છે અને તાપમાનમાં નજીવો ફેરફાર જાવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે.