રાજયના ૧૩ જળાશયો હાઇ એલર્ટ : ૫ ડેમ માટે એલર્ટ અપાયું

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રાજ્યના પુર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૧૮ જુલાઇના રોજ સવારે ૮ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૩ જળાશયો હાઇએલર્ટ, ૦૫ જળાશયો એલર્ટ તેમજ ૧૨ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા ડેમ) ૧૧૧.૨૪ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૩૯.૭૯ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયો સંપૂર્ણ ભરાયા છે તેમાં નવસારી જિલ્લાનું ઝૂજ, અમરેલીનું વાડિયા, જામનગરનું પુના, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, જામનગરનું ઉન્ડ-૩, નવસારીનું કેલીયા, અને તાપીનું દોસવાડા જળાશય સંપૂર્ણ તેમજ રાજકોટનું મોતીસર, ભરૂચનું ધોલી, જૂનાગઢનું અંબાજલ, તેમજ ગિર-સોમનાથનું હિરણ-ર જળાશય ૯૦ ટકાથી વધુ ભરાતા કુલ ૧૩ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગિર-સોમનાથ જિલ્લાનું રાવલ, શિંગોડા રાજકોટનું ભાદર-ર, જૂનાગઢનું ઓઝત-ર, મધુવંતી મળી કુલ ૦૫ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૨ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

Share This Article