વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જગતના નાથ ભગવાન જગન્નાથની ત્રીજી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. વહેલી સવારે વિશ્વ ઉમિયાધામ થી સંસ્થાના પ્રણેતા એવમ પ્રમુખશ્રી આર પી પટેલ સાહેબ દ્વારા ભગવાન જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરી ત્રણેય રથને પ્રસ્થાન કરાવ્યા હતા. વિશ્વ ઉમિયાધામ થી નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા વૈષ્ણોદેવી, અદાણી શાંતીગ્રામ, એવમ વિશ્વ ઉમિયાધામ આસપાસના વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું.
મહત્વનું છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 5,000 થી વધુ ભક્તો જોડાયા હતા. જેમાં ભગવાન જગન્નાથજી બેન સુભદ્રા એવમ ભાઈ બલ્ભદ્રજીના ત્રણ રથની સાથે 15 થી વધારે ટ્રેક્ટર અને 100 થી વધારે ગાડીઓ રથયાત્રામાં જોડાઈ હતી. અષાઢી બીજ ના પાવન પર્વે ભગવાન જગન્નાથજીના દર્શન કરી હજારો ભક્તો ભાવવિભોર થયા હતા.
વિશ્વ ઉમિયા ધામ દ્વારા નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રાનું વૈષ્ણોદેવી આસપાસનું લગભગ 100 થી વધારે સોસાયટીના ભાવીભક્તોએ હાર્દિક સ્વાગત કર્યું હતું તેમ ભગવાનના ઓવારણા લીધા હતા. ભક્તિમાં લીન થવાના આ દિવસે હજારોમાં માં ઉમિયા ના ભક્તો રથયાત્રાનો લાભ લીધો હતો. સાંજે 6:30 કલાકે વિશ્વ ઉમિયાધામથી નીકળેલી રથયાત્રા પરત નીજ મંદિર ફરી હતી જ્યાં સંસ્થાના પ્રમુખ આરપી પટેલ એવમ ટ્રસ્ટીઓએ ભગવાનની આરતી ઉતારી મંદિરમાં બિરાજમાન કર્યા હતા.
રથયાત્રા બાદ મારી ઇંટમાંના મંદિરે અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ધામ મંદિરમાં ભવ્ય ધર્મ સભાનું આયોજન કરાયું હતું જેમાં પ્રમુખશ્રી આરપી પટેલ સાહેબે ઈટદાન અભિયાન અંતર્ગત વાત કરી સૌ કોઈને મા ઉમિયાના ભવ્ય મંદિરના નિર્માણમાં જોડાવા આહવાન કર્યું હતું.

