વિશ્વ ઉમિયાધામ ખાતે 4000 ભક્તોએ ભોજન પ્રસાદ અને 11,000 ભક્તોએ દર્શનનો લાભ લીધો

Rudra
By Rudra 2 Min Read

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદમાં વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા ૫૦૪ ફૂટ મંદિરનું નિર્માણ ગતિપૂર્વક ચાલી રહેલ છે, જ્યાં મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલી રહેલ છે, ત્યારે ૧૪૭ વર્ષ પુરાણી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પરંપરા અમદાવાદ શહેરમાં એક આગવી ઓળખ બની ગઈ છે. આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં ભગવાન સામે ચાલીને પોતાના ભક્ત સમુદાયને મળવા વાજતે-ગાજતે નગરયાત્રા કરે છે, ત્યારે વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ દ્વારા આ વર્ષે ૫ણ અષાઢી બીજ, ૨૭ જુન, ૨૦૨૫, શુક્રવારના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામ પરિવાર, સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ તથા 11,000 થી વધુ ભાવિક – ભક્તો રથયાત્રામાં જોડાયા હતા.

સંસ્થાના પ્રણેતા એવા પ્રમુખ આર પી પટેલ ના જણાવ્યા અનુસાર વિશ્વ ઉમિયાધામ ખાતે લગભગ 4000 થી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને મોડી સાંજે ભગવાન નિજ મંદિર પધાર્યા બાદ હજારો ભક્તોએ મહા આરતીનો પણ લાભ લીધો. ભગવાન જગન્નાથની રથયાત્રામાં લગભગ 400 થી વધારે કિલો મગનો પ્રસાદનો ભક્તોએ લાભ લીધો. વધુમાં જણાવતા આર.પી.પટેલ જણાવે છે કે આજથી મા લક્ષ્મીનો કુંભ મારા ઘરે અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે. તો સાથે સાથ વિશ્વ ઉમિયા તિલક ની પણ શરૂઆત કરવામાં આવી છે.

Share This Article