ગાંધીનગર : ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગ પાક માટે ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર ૫૬ હજાર હેક્ટરમાં થયું હતું. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સીઓ દ્વારા નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી ૯૩ જેટલા ખરીદ કેન્દ્રો પરથી તા. ૨૧ જૂનથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.
ટેકાના ભાવે ઉનાળુ મગના વેચાણ માટે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ ૨૩,૪૮૮ ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતોને જીસ્જી મારફતે જાણ કરવામાં આવશે. તે પ્રમાણે નિયત કરવામાં આવેલા ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોએ પોતાની જણસી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. ખેડૂતો પાસેથી આવતીકાલ તા. ૨૧ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનિવાર્ય સંજાેગોના કારણે તા. ૧૪ જૂને મોકુફ રખાયેલી ઉનાળુ માગના ટેકાના ભાવની ખરીદી આવતીકાલ તા.૨૧ જૂનથી શરૂ થશે.