હેયાંશ ઓરલ કેન્સર હોસ્પિટલ એ 5 વર્ષ પૂર્ણ કર્યા, કેન્સર સામે કેવી રીતે લડવું? તબીબોએ આપી ખાસ સલાહ

Rudra
By Rudra 6 Min Read

* આજે વૈશ્વિક સ્તરે મૌખિક કેન્સરના કેસેસમાં ભારતમાં જ 30% કેસેસ છે, જે ગ્રામીણ અને ઓછી આવક ધરાવતા લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ઘણીવાર એને એડવાન્સ સ્ટેજમાં મોડેથી શોધી કાઢવામાં આવે છે, જેના કારણે દર્દીની બચવાની શક્યતા ઓછી થાય છે.
* ભારતમાં મૌખિક, માથા અને ગળાના કેન્સર (HNC) પુરુષોમાં થતા તમામ કેન્સરના લગભગ 30% અને સ્ત્રીઓમાં 7-8% છે, જે પશ્ચિમી દેશો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
* ગુજરાતના અમદાવાદ ક્ષેત્રમાં, લગભગ 47% ઓરલ કેન્સરના દર્દીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના છે, જે 2005 માં 36.5% થી વધ્યું છે. નોંધનીય છે કે, 30-39 વર્ષની વયના પુરુષોમાં 2024 માં ઓરલ કેન્સરના કેસોમાં 17.2% વૃદ્ધિ જોવા મળી હતી જે 2005 માં 12.3% હતી.
* એક ચિંતાજનક માહિતી મુજબ, કેન્સર રોગની નોંધણી કરાવનારા 10 માંથી લગભગ 6 કેન્સરના દર્દીઓ ઓરલ એટલે કે મૌખિક કેન્સરથી પીડાય છે. તેથી મૌખિક કેન્સરના લગભગ 60% કેસ શોધી કાઢવામાં આવી રહ્યા છે જેમાંથી લગભગ 65% કેસેસ એડવાન્સ એટલે કે ચોથું સ્ટેજનું જોવા મળે છે, જેમાં દર્દીઓ નું જીવન ટકાવી રાખવા બહુ જ અગરું હોય છે.

અમદાવાદ : થોડા મહિના પહેલા, ૧૦ વર્ષની વૈશાલીને ઓસ્ટિઓસારકોમા ઓફ મેન્ડિબલ હોવાનું નિદાન થયું હતું જે એક દુર્લભ, જીવલેણ હાડકાની ગાંઠ છે જે ઓસ્ટિઓઇડ અથવા અપરિપક્વ હાડકા બનાવે છે. વૈશાલી હેયાંશ હોસ્પિટલમાં માત્ર ૧૮ કિલો વજન અને ૧.૫ કિલો વજનની ગાંઠ સાથે આવી હતી. નિષ્ણાતો દ્વારા તેણીને માત્ર ૨૫ દિવસની આયુષ્ય આપવામાં આવ્યું હતું. તેણીને કીમો થેરાપી / રેડિયો થેરાપી સૂચવવામાં આવી હતી. જ્યારે તેણી હેયાંશ ઓરલ કેર હોસ્પિટલમાં આવી, ત્યારે તરત જ ડો. સ્મિત. એ. દેસાઈ દ્વારા એક સફળ એડવાન્સ્ડ ઓરલ સર્જરી કરવામાં આવી અને આજે વૈશાલી ખુશ છે, હસતી છે, ધીમે ધીમે એમનું વજન વધી રહ્યું છે અને એ હવે જીવનની ગુણવત્તાનો આનંદ માણવા માંગે છે.

અથવા 24 વર્ષીય તુષાર રાવલનો કિસ્સો લો, જેને ઓસ્ટિઓસારકોમા ઓફ મેક્સિલરી સાઇનસ હોવાનું નિદાન થયું હતું જે એક જીવલેણ હાડકાની ગાંઠ છે અને એને જમણી ભ્રમણકક્ષા સુધી ફેલાયેલી એક અસામાન્ય પણ ગંભીર સ્થિતિ પણ હતું. તે શહેરની કેટલાક જાણીતી હોસ્પિટલોમાં ગયો પરંતુ એમનું આશા અને નાણાકીય સ્થિતિ ગુમાવવા લાગ્યો. એકવાર હેયાંશ ઓરલ કેર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા પછી, તુષારે ડૉ. સ્મિત. એ. દેસાઈના સક્ષમ માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સર્જરી કરાવી અને આજે આશા અને ઉત્સાહ સાથે તેના જીવનમાં સ્વસ્થ થઈ રહ્યો છે.

“અમારા દ્વારા સફળતાપૂર્વક સારવાર લીધેલા મોટાભાગના કેસેસ જટિલ હતા અને ચહેરાના લક્ષણોનું પુનર્નિર્માણ કરવું એક વાસ્તવિક પડકાર છે. છેલ્લા 5 વર્ષોમાં, અમે તમાકુના સેવન, ધૂમ્રપાન અને મદ્યપાનના કેસોમાં ચિંતાજનક વધારો જોઈ રહ્યા છીએ, ખાસ કરીને ગુજરાત રાજ્યના યુવાનોમાં. જોકે, એક સકારાત્મક પાસું એ છે કે જો શરૂઆતના તબક્કામાં જ કેન્સરના લક્ષણોને શોધી કાઢવામાં આવે તો ઓરલ કેન્સર ચોક્કસપણે સાધ્ય છે. ઓરલ કેન્સર એ એવા કેન્સરનો ઉલ્લેખ કરે છે જે મોં, હોઠ, જીભ, ગાલ, મોંના ફ્લોર, કઠણ તાળવું, સાઇનસ અને ગળામાં થાય છે. તે સામાન્ય રીતે વૃદ્ધિ અથવા ચાંદા તરીકે દેખાય છે જે દૂર થતો નથી. તેથી નિવારક આરોગ્ય સંભાળ પદ્ધતિના ભાગ રૂપે, આપણે સમાજને જાગૃત કરવાની જરૂર છે કે આપણે સંભવિત મૌખિક કેન્સરના ચિહ્નો અને લક્ષણો શોધવા જોઈએ અને તાત્કાલિક તમારા ડૉક્ટરોનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગે આપણે કેન્સરના એડવાન્સ તબક્કામાં દર્દીઓ મેળવીએ છીએ અને જ્યારે આપણે લાચાર બનીએ છીએ ત્યારે તે ખરેખર હૃદયદ્રાવક અને ભયાનક હોય છે. અમે દર્દીઓને ખૂબ કાળજી, બધી આધુનિક ટેકનોલોજી અને કલાકોની વ્યક્તિગત ભાગીદારીથી મદદ કરવા માંગીએ છીએ છતાં અમે એમના જીવન બચાવી શકતા નથી,” એવું હેયાંશ ઓરલ કેન્સર હોસ્પિટલના નિષ્ણાત ડૉ. સ્મિત. એ. દેસાઈ, કન્સલ્ટન્ટ ઓરલ કેન્સર સર્જન, MDS (OMFS) ફેલોશિપ ઇન ઓરલ ઓન્કોલોજી (AOMSI) અને ફેલોશિપ ઇન હેડ એન્ડ નેક ઓન્કોલોજી (FHNO) એ જણાવ્યું હતું.

તેમના તબીબી સફરના ૬ વર્ષોમાં ડો. સ્મિત. એ. દેસાઈ એ અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, હિંમતનગર, વિસનગર, ધંધુકાના જાણીતા ઘણી બધી કોર્પોરેટ હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓમાં સ્પેશિયલાઇઝ્ડ કન્સલ્ટિંગ, ઓરલ કેન્સર સર્જન તરીકે પોતાના સેવાઓ આપ્યા અને પછી વર્ષ ૨૦૨૦માં એમને હેયાંશ ઓરલ કેન્સર હોસ્પિટલના સ્થાપક તરીકે, જે ગુજરાતની એક પ્રકારની આધુનિક અને સ્પેશિયલાઇઝ્ડ ઓરલ એન્ડ નેક કેર હોસ્પિટલ છે, એમની સ્થાપના કરી. ડો. સ્મિત. એ. દેસાઈ MDS (OMFS) એ ઓરલ ઓન્કોલોજી (AOMSI) માં ફેલોશિપ અને હેડ એન્ડ નેક ઓન્કોલોજી (FHNO) માં ફેલોશિપ ધરાવતા દેશના સૌથી યુવા કન્સલ્ટન્ટ ઓરલ કેર સર્જનમાંના એક છે, તેમણે 2000 થી વધુ દર્દીઓની સર્જરી અને કન્સલ્ટેશન દ્વારા સારવાર કરી છે. તેઓ તેમની અત્યાધુનિક હોસ્પિટલમાં વ્યક્તિગત સંપર્ક અને દર્દીઓના કલાકો સુધીના જોડાણ સાથે સફળતાપૂર્વક શ્રેષ્ઠ વિશિષ્ટ અને આધુનિક ટેકનોલોજી સારવાર આપી રહ્યા છે.

ડૉ. સ્મિત. એ. દેસાઈ, જેમણે આ નાની ઉંમરે 7 આંતરરાષ્ટ્રીય પેપર્સ અને હજારો રાષ્ટ્રીય પેપર્સ લખ્યા છે, તેઓ સમુદાય અને ખાસ કરીને યુવાનોમાં આ વધતા જતા જોખમ વિશે જાગૃતિ લાવવા માટે રહેણાંક સોસાયટીઓ, બાવળા, માણસાના ITI સેન્ટરો અને ડાન્સ ક્લાસમાં પણ આ વિષય પર નિયમિત નિવારક આરોગ્યસંભાળ શિબિરો અને સેમિનારનું આયોજન કરી રહ્યા છે. હેયાંશ ઓરલ કેર સેન્ટર, જે 4000 ચોરસ ફૂટનું આધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ સ્પેશિયલાઇઝ્ડ હોસ્પિટલ છે, જે વૈશ્વિક ધોરણો સાથે દર્દીઓને તમામ શક્ય સારવાર પૂરી પાડે છે અને ટૂંક સમયમાં તે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં જોધપુરમાં 1200 ચોરસ ફૂટ જગ્યા ઉમેરશે.

Share This Article