વિયેતજેટ દ્વારા મર્યાદિત સમય માટે ભારત- વિયેતનામ રુટ્સ પર રૂ. 11થી શરૂ થતાં ભાડાં લોન્ચ કર્યાં

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વિયેતનામની નવા યુગની એરલાઈન વિયેતજેટ દ્વારા તેના ભારતીય પ્રવાસીઓ માટે ખાસ મર્યાદિત સમયનું પ્રમોશન ઓફર કરવામાં આવી રહ્યું છે, જેમાં એકમાર્ગી ઈકો-ક્લાસ ભાડાં ભારત અને વિયેતનામ વચ્ચે સર્વ સીધી ફ્લાઈટ્સ પર ફક્ત રૂ. 11*  (કરો અને શુલ્ક સિવાય)થી શરૂ થાય છે. બુકિંગ 3 જૂન, 2025થી વિયેતજેટની વિધિસર વેબસાઈટ (www.vietjetair.com) અને મોબાઈલ એપ થકી હવે ખુલ્લા છે. પ્રમોશનલ ટિકિટો 1 જુલાઈ, 2025 અને 28 માર્ચ, 2026 વચ્ચે પ્રવાસ માટે લાગુ રહેશે (જેમાં જાહેર રજાઓ અને પીક પ્રવાસનો સમયગાળો સમાવિષ્ટ નથી), જેથી વિયેતનામમાં સમર વેકેશન, વસંતઋતુ અને શિયાળામાં બહાર ફરવા જવા અથવા વહેલી 2026ની ટ્રિપનું નિયોજન કરનારા માટે ઉત્તમ તક છે.

વિયેતજેટે ભારત અને વિયેતનામ વચ્ચે હવાઈ જોડાણ મજબૂત બનાવવાનું ચાલુ રાખસાં નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ અને કોચીથી હનોઈ, હો ચી મિન્હ અને દા નાંગ સહિત સાઉથઈસ્ટ એશિયાના અમુક સૌથી સ્વર્ણિમ સ્થળોને જોડતી 78 સાપ્તાહિક ફ્લાઈટ્સ ચલાવે છે. વિયેતજેટના ખાસ નેટવર્ક સાથે ભારતીય પ્રવાસીઓ વિયેતનામ થકી બાલી, જકાર્તા, બીજિંગ, શાંઘાઈ, ગુઆંગઝોઉ જેવા એશિયન- પેસિફિક પ્રદેશ અને ઓસ્ટ્રેલિયા, જાપાન અને સાઉથ કોરિયામાં મુખ્ય શહેરોમાં કિફાયતી પહોંચ પણ માણી શકે છે. વિયેતજેટ ભારતીય પ્રવાસીઓને વિયેતનામના મંત્રમુગ્ધ કરનારા નસર્ગિક સૌંદર્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ખોજ કરવા માટં ઉષ્માભર્યો આવકાર આપે છે. તમે દા નાંગ, ન્હા ત્રાંગ અને ફુ ક્વોક જેવા નિર્મળ બીચ શોધતા હોય કે હનોઈ, હ્યુ અને નિન્હ બિન્હની ઐતિહાસિક ખૂબીઓ માણવા માગતા હોય કે હો ચી મિન્હ સિટીની ગતિશીલ ઊર્જામાં પલળવા માગતા હોય, વિયેતનામ ખોજકોના દરેક પ્રકાર માટે અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે.

Share This Article