UPમાં ટ્રેક્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બે દિવસ પહેલા ઉતર પ્રદેશ ના કાસગંજ ખાતે માઘ પૂર્ણિમા ના દિવસે યાત્રાળુઓથી ભરેલી એક ટ્રોલી તળાવમાં ઉથલી પડતાં ૨૩ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુની રામકથા અત્યારે શ્રી અયોધ્યાજી ખાતે ચાલી રહી છે.  બે દિવસ પહેલા આ ઘટના બની છે અને પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૪૫,૦૦૦ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. ટ્રોલી ઉથલી પડતાં જેઓ મોતને ભેટ્યા છે તેમનાં નિર્વાણ માટે એમણે પ્રાર્થના કરી છે.  આ સહાયતા રાશિ દિલ્હી સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે. 

TAGGED:
Share This Article