પાટણ નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાયઉતર ગુજરાત ના પાટણ નજીક ગઈકાલે અકસ્માત ની બે અલગ અલગ ઘટનાઓમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર ૬ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા છે. આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. શ્રી હનુમાનજી ની સાંત્વના રુપે પૂજ્ય મોરારીબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે કુલ મળી અને રૂપિયા 90,000 ની સહાયતા અર્પણ કરી છે. રામકથાના રાધનપુર સ્થિત શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન ઘ્વારા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપકને HiRA એવોર્ડથી સન્માનિત
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન, JG યુનિવર્સિટી અને ચિરિપાલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન્સના હેપ્પીનેશ ઈન્ડેક્ષને ધ્યાનમાં રાખીને ઈન્ડેક્સ રેકગ્નિશન એવોર્ડ્સ...
Read more