મ્યુનિ હોસ્પિટલમાં દર્દીના સગાઓને રૂ.૧૦માં ભોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ૨૦૧૯-૨૦ના વર્ષના બજેટમાં એક સારી કહી શકાય એવી અગત્યની જાગવાઇ એ કરાઇ હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલ, એલ.જી.હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓના સગાઓ અને પરિવારજનોને માત્ર રૂ.૧૦માં ભરપેટ ભોજન આપવાની  પંડિત દીનદયાળ કેન્ટીન સેવા શરૂ કરવામાં આવશે. આ માટે શાસકપક્ષ દ્વારા બજેટમાં રૂ.ત્રણ કરોડની જાગવાઇ કરવામાં આવી છે. મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં પ્રતિદિન બે હજારથી વધુ દર્દીઓ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થતા હોય છે ત્યારે તેમના સગા અને પરિવારજનો માટે જમવાની ભારે મુશ્કેલી ઉભી થતી હોય છે, તેના નિવારણના ભાગરૂપે આ યોજના શરૂ કરાશે.

TAGGED:
Share This Article