ગઝલપ્રેમીઓ માટે ઉદગમ્ શબ્દ સુરોત્સવનું અમદાવાદ ખાતે આયોજન

News KhabarPatri
1 Min Read

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદના સહયોગથી શબ્દ અને સુરની સવંદિતા જાળવીને ગઝલ-સાહિત્યને સંગીતની સાથે પ્રોત્સાહન આપવા તૃતીય ઉદગમ્ શબ્દ સુરોત્સવનું આયોજન તા.૨૭ મી જુલાઈ ૦૨૪ના રાત્રી ૮:૩૦ વાગ્યાથી રોજ સ્પોર્ટ્સ ક્લબ, સરદાર પટેલ સ્ટેડિયમ પાસે, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

તૃતીય ઉદગમ્ શબ્દ સુરોત્સવમાં શાસ્ત્રીય સંગીતના ગાયક ડો. મિતાલી નાગ અને તેમની ટીમ વિવિધ પ્રચલિત ગઝલો પ્રસ્તુત કરશે.તો આ કાર્યક્રમમાં અમદાવાદ તથા ગાંધીનગરના સહુ ગઝલ રસિકજનો કાય્રક્રમમાં પધારવા માટે જાહેર આમંત્રણ છે.

Share This Article