HSC બાદ વિધાર્થીઓ માટે પ્રોફેશનલ કોર્સ તથા વિદેશમાં ક્યાં વિકલ્પો ઉપલબ્ધ છે તે માટે કરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો

શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા મણિનગર વિસ્તારમાં કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું,. ધોરણ-12માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ધોરણ-12 પછી ક્યા કયા અભ્યાસક્રમ ચાલે છે ?? ધોરણ-12 પછી કયા કયા પ્રોફેશનલ કોર્સ કરી શકાય? વિદેશમાં જઈને ભણવા ઇચ્છુક બાળકો માટે કઈ કઈ અભ્યાસલક્ષી તક સમાયેલી છે , એ બાબતે વાલી મિત્રો અને વિદ્યાર્થિ મિત્રોને અવગત કરવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. મણિનગર સ્થિત નવકાર ઇન્સ્ટીટ્યુટ, અને જરમર ઇમિગ્રેશનના સહકારથી આ કાર્યક્ર્મને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કેરિયર ગાઈડન્સ સેમિનારમાં 120 થી વધુ બાળકો તથા વાલી મિત્રો જોડાયા હતા.


શિવ શરણમ ઈન્સ્ટિટ્યૂટના સંચાલક શ્રી શીતલભાઈ શાહના જણાવ્યા મુજબ “ નજીકમાં આવી રહેલી બોર્ડની પરીક્ષા બાદ વિધાર્થીઑમાં સૌથી વધુ મુંજવતો પ્રશ્ન પોતાના કેરિયર માટેનો હોય છે , વિધાર્થી પોતાની કારકિર્દી માટે સજાગ રહે તેમજ આવનારા સમયમાં તેઓને એક ચોક્કસ દિશા મળે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. “ સેમિનારના મુખ્ય વક્તા શ્રી નરેશભાઇ પ્રજાપતિ (KD ફિલ્મ્સ ડિરેક્ટર, મોટીવેશનલ ટ્રેનર) , શ્રી જગતભાઈ પટેલ ( ડિરેક્ટર – જરમર ઇમિગ્રેશન ) , તથા શ્રી આદિત્ય પટેલ (માર્કેટિંગ મેનેજર – નવકાર ઇન્સ્ટીટ્યુટ ) દ્વારા કાર્યક્ર્મને ખુબ જ જ્ઞાનવર્ધક બનાવવામાં આવ્યો હતો.

Share This Article