ગણેશ દર્શન – બાપુનગર ખાતે બિરાજેલ ભગવાન ગણેશ

ભગવાન ગણેશજીનાં મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ગણેશ ભકતોમાં ભારે આનંદ પ્રસરી રહેલો જોવા મળી રહ્યો છે, ગણેશ ભક્તો દ્વારા ગણેશજીનું અનોખી રીતે  સ્વાગત પણ કરવામાં આવે છે.

ગણેશજીના સ્વાગત માટે જુદી જુદી રીતના થીમ ડેકોરેશન પણ જોવા મળતા હોય છે, તેવામાં બાપુનગર ખાતે સુરજીત સોસાયટી ના રહેવાસી શ્રધ્ધા પટેલના ત્યાં પર્યાવરણ બચાવો, જીવન બચાવો અને ઉર્જા બચાવો એવા ઉમદા મેસેજ સાથે ગણેશજીનું થીમ ડેકોરેશન કરાયું હતું.

Share This Article