અમદાવાદ: વોટર એન્ડ શાર્કે યુરોપ ઇન્ડિયા સેન્ટર ફોર બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગિતામાં, અમદાવાદની ડબલટ્રી બાય હિલ્ટન ખાતે “ધ સાયપ્રસ પ્રેસિડેન્સી ઓફ ધ કાઉન્સિલ ઓફ ધ યુરોપિયન યુનિયન: સ્ટ્રેન્થનિંગ ઇયુ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ્સ” વિષય પર ઉચ્ચ-સ્તરીય વ્યાપાર અને રાજદ્વારી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમે ગુજરાતની બિઝનેસ ઇકોસિસ્ટમને યુરોપ સાથેના ભારતના વધતા જોડાણ પર થઈ રહેલી મહત્વપૂર્ણ વાતચીતના કેન્દ્રમાં લાવી દીધી હતી. આ કાર્યક્રમમાં રાજદ્વારી પ્રતિનિધિઓ, ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિક સેવાઓ સાથે જોડાયેલા હિતધારકો, ઉદ્યોગ અગ્રણીઓ અને નીતિ-નિર્ધારણ સાથે જોડાયેલા સહભાગીઓને એક મંચ પર લાવવામાં આવ્યા હતા, જેથી એ વાત પર વિચાર કરી શકાય કે યુરોપિયન યુનિયન કાઉન્સિલની સાયપ્રસ પ્રેસિડેન્સી ભારત-યુરોપીય સંઘની વચ્ચે ગાઢ જોડાણ માટે એક ઉપયોગી પ્રવેશ બિંદુ કેવી રીતે બની શકે છે.
આ ચર્ચામાં ગુજરાતનું મહત્વ ખૂબ જ વિશેષ છે. આ રાજ્ય લાંબા સમયથી નિકાસલક્ષી છે, એક મજબૂત ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ ધરાવે છે અને એક વ્યાપારી સમુદાય ધરાવે છે જે ઐતિહાસિક રીતે વૈશ્વિક બજારો સાથે સંકળાયેલો છે. યુરોપ એક વધુ માળખાગત અને નિયમો પર આધારિત બજાર બનતું જઈ રહ્યું હોવાથી, ગુજરાતના આંતરરાષ્ટ્રીય વિકાસના આગામી તબક્કામાં વ્યવસાયોને નિયમનકારી માળખા, કરવેરા માળખા, રોકાણ માર્ગો, શાસન ધોરણો અને સેક્ટર આધારિત વિશિષ્ટ તકોને સમજવાની જરૂર પડશે.
આ વાતચીતમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે યુરોપને ફક્ત નિકાસ માટેના સ્થળ તરીકે જ ન જોવું જોઈએ. તે એક એવો પ્રદેશ પણ છે જ્યાં નીતિ, ધોરણો અને સંસ્થાઓ વાણિજ્યક સફળતાને આકાર આપે છે. ગુજરાત સ્થિત નિકાસકારો, પરિવારિક સાહસો, રોકાણકારો અને વિસ્તરણ કરી રહેલી કંપનીઓ માટે યુરોપ સાથે જોડાણ માટે હવે ગાઢ આયોજન અને વધુ માહિતીપ્રદ માળખાની જરૂર છે.
આ કાર્યક્રમના મહત્વ પર બોલતા, વોટર એન્ડ શાર્કના સીઈઓ હર્ષ પટેલે જણાવ્યું, “ગુજરાતના વ્યવસાયો માટે, યુરોપ તક અને જટિલતા બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. જે વ્યવસાયોને સૌથી વધુ ફાયદો થશે તે એવા છે જેઓ ન માત્ર બજારની માંગને જ સમજે છે, પરંતુ યુરોપમાં પ્રવેશને આકાર આપતી નિયમનકારી, કર અને સંસ્થાકીય પરિસ્થિતિઓને પણ સમજે છે. વોટર એન્ડ શાર્ક આને વ્યવસાયો માટે મહત્વાકાંક્ષાથી તૈયારી તરફ આગળ વધવાની ક્ષણ તરીકે જુએ છે. યુરોપમાં વિસ્તરણ માટેના માળખાં, અનુપાલન, ગવર્નેંસ અને લાંબા ગાળાની વ્યાપારી સ્થિતિ અંગે સ્પષ્ટતાની જરૂર હોય છે.”
આ કાર્યક્રમમાં વોટર એન્ડ શાર્કની ભૂમિકા વ્યવહારૂ વ્યવસાયિક જરૂરિયાત સાથે ગાઢ રીતે જોડાયેલી રહી હતી. આ ફર્મે તે અંગેનો સલાહકારી દ્રષ્ટિકોણ રજૂ કર્યો કે ભારતીય વ્યવસાયો કેવી રીતે મજબૂત માળખા, કર જાગૃતતા, અનુપાલન આયોજન, સરહદ પાર રોકાણ વ્યૂહરચના અને લાંબા ગાળાની વ્યવસાયિક સ્થિતિ નિર્ધારણના માધ્યમથી યુરોપિયન વિસ્તરણ માટે પોતાને તૈયાર કરી શકે છે. યુરોપને એક સાધારણ તક તરીકે રજૂ કરવાને બદલે, ચર્ચાએ વ્યવસાયોને તેને એક સુસંસ્કૃત બજાર તરીકે જોવા માટે પ્રોત્સાહિત કર્યા જે તૈયારીને પુરસ્કાર આપે છે.
EICBI સાથેના સહયોગે ગુજરાતની વ્યાપારિક પ્રાથમિકતાઓને યુરોપ-ભારત સંસ્થાકીય જોડાણ સાથે જોડીને તેમાં વધુ ઊંડાણ લાવી દીધુ. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર અને નીતિગત સંબંધોને મજબૂત બનાવવાના EICBIના આ કાર્યથી આ કાર્યક્રમને માત્ર એક વ્યાપારી બેઠક કરતાં ઘણું વધુ મહત્વ મળ્યું. આ ઈવેન્ટ ઉદ્યોગસાહસિકતાને રાજદ્વારી સાથે જોડવા અને ભારતીય હિસ્સેદારો માટે ઉચ્ચ-સ્તરીય ઇયુ વિકાસને વ્યવહારૂ જાગૃતિમાં રૂપાંતરિત કરવા માટેનું એક પ્લેટફોર્મ બની ગઈ.
વોટર એન્ડ શાર્કના સિનિયર પાર્ટનર અને ઇઆઈસીબીઆઈના ચેરમેન સુજીત નાયરે જણાવ્યું, “ગુજરાતમાં હંમેશાથી મજબૂત આંતરરાષ્ટ્રીય વ્યાપારને લઈને એક મજબૂત સમજ રહી છે. હવે યુરોપની નીતિ અને સંસ્થાકીય વ્યવસ્થા સાથે વધુ ઊંડાણપૂર્વકના જોડાણ સ્થાપિત થાય તેની જરૂર છે. આ સંવાદ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે યુરોપિયન રાજદ્વારી વિકાસને તે વ્યવહારૂ પ્રશ્નો સાથે જોડે છે, જેને ભારતીય વ્યવસાયો પૂછી રહ્યાં છે: ક્યાં પ્રવેશ કરવો, કેવી રીતે માળખું તૈયાર કરવું અને ટકાઉ ભાગીદારી કેવી રીતે બનાવવી.”
આ કાર્યક્રમની રાષ્ટ્રીય સ્તરે પણ વ્યાપક મહત્વતા રહી હતી. યુરોપ સાથે ભારતના સંબંધો વેપાર વૈવિધ્યકરણ, ટેકનોલોજી ભાગીદારી, મજબૂત સપ્લાય ચેઇન્સ, રોકાણ સહયોગ અને વ્યૂહાત્મક તાલમેળ સાથે વધુને વધુ જોડાયેલા છે. દેશ માટે, ગુજરાત જેવી પ્રાદેશિક બિઝનેસ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવી જરૂરી છે કારણ કે રાષ્ટ્રીય આર્થિક રાજદ્વારી આખરે વ્યવસાયોની આ ક્ષમતા પર આધાર રાખે છે કે તે આંતરરાષ્ટ્રીય તકો પર કેટલી સ્પષ્ટતા અને તૈયારી સાથે પ્રતિભાવ આપે છે.
આ ઇવેન્ટને અમદાવાદ લાવીને, વોટર એન્ડ શાર્ક અને EICBIએ રાજદ્વારી ગતિ અને વ્યવસાયિક તત્પરતા વચ્ચે સેતુ બનાવવામાં મદદ કરી. આ વાતચીતમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે જો ગુજરાતના સાહસો યોગ્ય જ્ઞાન, યોગ્ય માળખા અને યોગ્ય લાંબા ગાળાની વ્યૂહરચના સાથે યુરોપનો સંપર્ક કરે તો તેઓ ઈન્ડિયા-ઇયુ કોરિડોરમાં સાર્થક ભૂમિકા ભજવી શકે છે.
