મહેસાણામાં ઉમિયા ભક્તોની ભક્તિનો મહાસાગર, 8,000થી વધુ લોકોએ આરતીમાં ભાગ લીધો

News KhabarPatri
2 Min Read

મહેસાણા : સનાતન ધર્મની ધજાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર વિશ્વ ઉમિયા ધામ દ્વારા દર શનિવારે સનાતન આરતી નું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે મહેસાણાના 8000 થી વધારે સનાતનનીઓએ જગતજનની માં ઉમિયા ની મહા આરતી કરી હતી.

જેમાં મહેસાણા શહેર એવા મહેસાણા જિલ્લાના ઉમા ભક્તો અને બહેનો જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે મામીયાની મહા આરતીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર પી પટેલ એવમ રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ તથા સમગ્ર જોડાયું હતું.

મહા આરતી સમયે મહેસાણા શહેરનું સમગ્ર પરિષદ ઉમા ભક્તિમાં લીન થયું હોય તેવો માહોલ સર્જાયો હતો અને માતા બહેનોએ બોલ મારી મા ઉમિયા માના નાદ થી સમગ્ર શહેરને ગુંજાવ્યું હતું. સનાતન ધર્મની મહા આરતી અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ પટેલ સાહેબ જણાવે છે કે હિન્દુઓ સિવાય તમામ ધર્મમાં અઠવાડિયાનો એક દિવસ પોતાની આસ્થા અને ઇષ્ટ માટે નક્કી કરાયેલો છે તો સનાતન ધર્મમાં પણ એક દિવસ નક્કી કરવો ખૂબ જરૂરી બને છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા હનુમાનજી મહારાજ અને માતાજીના શનિવારના રોજ આપણા ગામ કે પછી સોસાયટીમાં આયોજન કરી સનાતન ધર્મની ધજાને મજબૂત કરવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. શ્રી આર પી પટેલ સાહેબના આહવાન પર અત્યારે ગુજરાત રાજ્યમાં લગભગ 1000 થી વધારે ગામ અને સોસાયટીઓમાં દર શનિવારે આરતી સમુહ આરતી કરવામાં આવે છે. આજે મહેસાણામાં લગભગ 8000 થી વધારે ઉમા ભક્તો જગતજનની માં ઉમિયા ની મહા આરતી માં જોડાયા એવમ 5000 થી વધારે ભક્તોએ મા ઉમિયા નો પ્રસાદ લીધો છે. હું સમગ્ર રાજ્યના સનાતન યો અને આહવાન કરું છું કે દર શનિવારે આપ જે પણ ઇષ્ટદેવમાં માનતા હો તેમની સોસાયટી અને ગામમાં સામૂહિક આરતી કરી આપણી આવનાર પેઢીને એક નવું ભવિષ્ય આપીએ.

Share This Article