દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કંડલા ખાતે ભારતના પ્રથમ મેક ઇન ઇન્ડિયા 01 મેગાવોટસ્કેલ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો કાર્યભાર સંભાળ્યો

Rudra
By Rudra 3 Min Read

ભારતની લઘુતમ પ્રદુષણ ઉત્પાદિત કરતી ઉર્જામાં પરિવર્તનના ઐતિહાસિક સીમાચિહ્નરૂપે, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ આજે કંડલા ખાતે દેશના પ્રથમ “મેકઇનઇન્ડિયા” 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો કાર્યભાર સંભાળ્યો.

આ પ્લાન્ટનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા તથા બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર, અને બંદરો, શિપિંગ તથા જળમાર્ગ મંત્રાલય સચિવ ટી.કે. રામચંદ્રન, IAS, તથા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહ, અને બંદર અને L&Tના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

આ સીમાચિહ્ન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતની પ્રગતિનો ગૌરવશીલ અનુભવ છે અને ભારતની પર્યાવરણ અને ગ્રીનહાઉસ અસર પ્રત્યેની પ્રતિબદ્ધતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

માનનીય મંત્રીએ આ પ્રોજેક્ટન જે રીતે ઝડપથી શરૂ થયો છે તેની પ્રશંસા કરી. તેમણે યાદ કર્યું કે 26 મે 2025 ના રોજ ભુજની મુલાકાત દરમિયાન માનનીય પ્રધાનમંત્રી દ્વારા 10 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અને હવે માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં 10 મેગાવોટ પ્રોજેક્ટના ભાગ રૂપે 1 મેગાવોટ પ્લાન્ટના પ્રથમ મોડ્યુલનું અમલીકરણ થયું છે, દેશમાં ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગ માટે પ્રોજેક્ટ અમલીકરણનો એક નવો માપદંડ સ્થાપિત કરે છે. તેમણે જણાવ્યું કે DPA એ ગતિ, સ્કેલ અને કાર્યમાં કૌશલ્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રદર્શિત કર્યું છે.

આ અમલીકરણ સાથે, DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે, જે વાર્ષિક આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. આ સફળતા દરિયાઇ સ્તરે કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે પર્યારણને અનુકૂળ હોય તેવા પ્રકારની બંદરની કામગીરીમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ વધારે છે.

પર્યાવરણ માટે રક્ષણાત્મક હોય તેવી બંદરની પહેલ પ્રત્યે સતત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા, માનનીય મંત્રીશ્રીએ DPA ની અગાઉની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો જેમાં ભારતની પ્રથમ મેક ઇન ઇન્ડિયા સંપૂર્ણ ઇલેક્ટ્રિસિટીથી સંચાલિત ટગનો સમાવેશ થાય છે. તેમણે ભારતીય ઇજનેરો દ્વારા સંપૂર્ણપણે બનાવવામાં આવેલ સંપૂર્ણ આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર હાઇડ્રોજન ઇકોસિસ્ટમના અમલીકરની પ્રશંસા કરી, જે અન્ય બંદરો માટે નવીન અને પર્યાવરણને અનુકૂળ હોય તેવા ઉપાયો અપનાવવા માટે પ્રેરણારૂપ છે.

મંત્રીએ ચેરમેનના નેતૃત્વ હેઠળ દીનદયાળ પોર્ટ ઓથોરિટીની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા, અને આ જટિલ પ્રોજેક્ટને નોંધપાત્ર કાર્યક્ષમતા અને ચોકસાઈ સાથે પૂર્ણ કરવા બદલ L&T ના ઇજનેરોની પણ પ્રશંસા કરી.

જેમ જેમ ભારત દરિયાઇ ક્ષેત્રના પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય તરફ પોતાનો માર્ગ બનાવી રહ્યું છે, તેમ તેમ દીનદયાળ પોર્ટ ઓથોરિટી આ પરિવર્તનમાં મોખરે છે અને સીમાચિંન્હરૂપે નેતૃત્વ કરે છે તથા રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અનુસાર હંમેશા નવીનતા લાવતું રહે છે.

Share This Article