ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

Rudra
By Rudra 2 Min Read

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેક્ટર-૮ ની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક અને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉદગમ મહિલા અને બાળવિકાસ માટે સતત પ્રયત્નશીલ થઈને કાર્ય કરી રહ્યું છે. ઉદગમ ટ્રસ્ટ હરહમેશ ભારતના ભાવી નાગરિકના ઘડતર માટે પ્રયાસો કરી રહ્યું છે. ઉદ્દગમ દ્વારા પ્રોજેક્ટ “ઉમંગ” અંતર્ગત દર વર્ષે ગાંધીનગર અને અમદાવાદની વિવિધ શાળાના વંચિત બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સમયાનુસાર તેઓની જરીરુયાત મુજબ શૈક્ષણિક સામગ્રી જેવી કે નોટબુક,પેન્સિલ, રબર, સંચો, કલર, વગેરે પૂરી પાળે છે જેથી આ વંચિત બાળકો ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને જીવનમાં આગળ વધી શકે.

ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં બાળકોએ બનાવેલ સ્વાગત કાર્ડની ઉક્તિને સાર્થક કરતી ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓની માહિતી આપી અને વંચિત બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉદગમ નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિવિધ પ્રવુતિઓના આયોજન અંગેની જાણકારી આપી હતી. મુખ્ય મહેમાન પદે પધારેલ ગાંધીનગર ઉત્તરના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે ઉદગમના કાર્યોની પ્રશંસા કરતા બાળકોને સરળતાથી તેમની સહજ વાકશૈલીમાં જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવીને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર માટેના પ્રયાસ માટે અભિનંદન પાઠવ્યા હતા. સેક્ટર આઠની સરકારી પ્રાથમિક શાળાના નવું ભવન સારું બાહેંધરી આપી હતી. કાર્યક્રમ ઐતિથિવિશેષ પદે કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદી હાજર રહ્યાં હતા.

ધારાસભ્ય રીટાબેન પટેલ અને સર્વે મહાનુભાવોનું હસ્તે બાળકોને નોટબુક, ચોપડા અને લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોપડા મળતાં બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા.

કાર્યક્રમમાં ઉદ્દગમ પરિવારના આશાબેન સરવૈયા, ચાણક્યભાઈ જોષી દિક્ષિતાબેન જોષી, મહેશભાઈ પટેલ, તૂપ્તિબેન જોષી, પારૂલબેન મેહતા, સંજયભાઈ થોરાટ, મનોજભાઈ જોષી, વીણાબેન વોરા અને કિરાત જોષી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય સ્મિતાબેન ચાવડાએ સહુનો આભાર માન્યો હતો અને શાળાના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જેહમાત ઉઠાવી હતી.

Share This Article