• Latest
  • Trending

પુસ્તકો : વસાવતા પહેલાં, વાંચી લીધા પછી

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

પુસ્તકો : વસાવતા પહેલાં, વાંચી લીધા પછી

ભવ્ય રાવલ

KhabarPatri News by KhabarPatri News
April 23, 2018
in કળા અને સાહિત્ય, વિશેષ
0

બૂક્સ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. પુસ્તકોને માણસનાં શ્રેષ્ઠ મિત્રો સદીઓથી એટલા માટે કહેવામાં આવ્યાં છે કારણ કે, એ માનવમન મસ્તિષ્કમાં મનોમંથન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. પુસ્તકોએ વ્યક્તિ, જૂથ, માનવ સમુદાયનું દર્પણ બની વર્ષોથી સુધારાવાદી સમાજભાગીદારીમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. તેથી જ એ ફક્ત પ્રત્યાયનનું માધ્યમ નથી પરંતુ માનવ ચેતનાને જાગ્રત કરવાનું મશીન પણ છે અને નવ માર્ગ દેખાડનાર મસીહા પણ છે.

પુસ્તકો સદીઓ સુધી જીવે છે, જીવાડતા રહે છે. આજથી સો-બસો વર્ષો પહેલાના પીળાં પડી ગયેલા પુસ્તકોનાં પાંના વચ્ચેથી સમકાલિન ઇતિહાસ અને સમાજ વ્યવસ્થાનો ખ્યાલ મળી આવે છે. જે ભણતરનાં ભાગ રૂપે વર્તમાન સમાજ ઘડતરમાં પોતાનો ભાગ ભજવે છે.

જ્ઞાન સાથ ગમ્મત અને ટેકનોલોજી સાથ ટેલિફિલ્મો, નાટકો-નોલેજ, રમત અને રાજકારણ, પ્રવાસ-ધર્મ, સાહિત્ય-સંસ્કૃતિ વગેરે વિષયો સિવાય હજારો વિષય પર પુસ્તકો લખાતા-છપાતા આવ્યાં છે. પ્રકાશન ક્ષેત્રે સંપાદક, લેખક, કવિ, વિવેચક, રાજનેતાથી લઈ અભિનેતા સુધીનાં તમામ કલાકારોની કલારસિકો માટેની વિધવિધ આવ્રૃતિ પ્રગટ થતી રહે છે. આ ઉપરાંત કેટલીક સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપની, સંસ્થા, મંડળીઓ પણ પોતાના ધ્યેય અને હેતુને સિદ્વ કરતા પુસ્તકો બહાર પાડતી રહેતી હોય છે.

પુસ્તકોમાં કવિતાના પુસ્તકો સૌથી ઓછા વહેચાય અને વંચાય વધુ છે! ત્યારબાદ નવલકથાઓ સૌથી વધુ વહેચાય અને વંચાય છે. પછી લેખો, સમીક્ષા, ઇતિહાસ, પ્રવાસ જેવાસમકાલીન-સાંપ્રત વિષય પરના પુસ્તકો લાઇબ્રેરીમાંથી વંચાતા રહે છે. બૂક-સ્ટોર્સમાંથી ડિસ્કાઉન્ટ ઓફર હોય તો ખરીદાતા રહે છે અને ક્યારેક વંચાયા વિના પસ્તીમાં કે કાચ સાફ કરવા અથવા પડીકા વાળવામાં જતા રહે છે! આ હકીકત છે.

જ્યારે ગુજરાતી ભાષામાં કોઈ નવાસવા લેખકનું પુસ્તક વહેચાણ-વાંચન, લોકપ્રિયતાની સીમા વટાવી બેસ્ટ સેલર પુસ્તક તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યુ ત્યારે અભ્યાસ કરતા માલૂમ પડે છે કે, ગુજરાતી વાંચક વર્ગ ફક્ત નામી લેખકના પુસ્તકો નામના આધારે, સંબંધોના દાવે ખરીદતા નથી. અમૂક રીડર્સ બૂક્સ વસાવતા સમય કેટલાક પહેલુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે શીખવા જેવું છે. સારા પુસ્તકોનાં કેટલાક આવશ્યક લક્ષણો છે. જે ચકાસી પુસ્તક ખરીદવા. જેમ કે પુસ્તક ખરીદતા સમય સ્વંયની રસ-રુચિ સિવાય પુસ્તકનું નામ અને વિષય શું છે? પ્રસ્તાવના લખેલી છે? કોના દ્રારા લખાય છે? પ્રકાશન સંસ્થા સાથ એ ખાસ જોઇલેવું. આ ઉપરાંત પુસ્તકની મૂળ કિંમત સાથ પાનાની સંખ્યા અને ક્વોલેટી કેવી છે એ તપાસવી. પુસ્તક બાઇડિંગ કરેલુ છે? એના પર જેકેટ ચડાવેલુ છે એ પણ ફટાફટ તપાસી લેવું.

પુસ્તક માત્ર બે કાચા-પાકા પૂઠ્ઠા વચ્ચે રહેલી રચનાકારની વાત સાથ સંબંધ ધરાવતું નથી. પુસ્તકનો સંબંધ ભૂતકાળ અને ભવિષ્ય બંને સાથે જોડાયેલો છે. આથી જ કેટલાય સાહિત્યકારો આજે પણ પુસ્તકનાં પાંના પર જીવતા રહી શક્યા છે. ભૂતકાળને જીવાડતા રહેવા અને ભવિષ્યનો અંદાજ આપવા-મેળવવાનો એકમાત્ર સરળ આધાર પુસ્તકો જ છે જે ફ્રેન્ડ, ફિલોસૂફર અને ગાઇડ બનતા આવ્યાં છે. બની રહેશે. જ્યારે રેડિયો, ટેલિવિઝન કે બીજા મનોરંજનના સાધનોની શોધ થઇ ન હતી ત્યારે પુસ્તકો જ હતાં જે માણસની એકલતાનાંસાથી બન્યા હતાં. આથી ગ્રંથાલયને કુટુંબ બનાવી ગેલેક્સીમાં આરામથી જીવન પસાર કરી શકાય છે. હા એ ખરું ક્યારેય કોઇ પુસ્તક એક વિષય પર સંપૂર્ણ માહિતી આપનારુ હોતું નથી. પુસ્તકનું કાર્ય જ વિધવિધ વિષય પર સંસોશન-રીસર્ચ કરતા-કરાવતા રહેવાનું છે.

લોકમાન્ય ટીળકે કહ્યું છે કે, હું નર્કમાં પણ પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે એનામાં એવી શક્તિ છે કે એ જ્યાં હશે ત્યાં એની મેળે જ સ્વર્ગ ઊભુ થઇ જશે. આ વાતને હકીકત બનાવી આપણી આસપાસ વ્યાપેલા ગંદા વાતાવરણને દૂર કરવા સૌએ પુસ્તક માત્ર ખરીદવા જેવા જ નહી પણ જિંદગીમાં અપનાવવા જેવુ છે. રાજકોટ, જામનગર, ભાવનગર જેવા મોટા શહેરોમાં દર વર્ષે, બે વર્ષે માંડ એકવાર માત્ર બે-ત્રણ દિવસ પૂરતા પુસ્તક મેળા યોજાય છે એ પાછળ પ્રજા કરતા તંત્રની બેદરકારી વધુ છે કે વાંચકોની નિરસતા એ પ્રશ્ર મોટો છે.

પુસ્તક છપાવવા-વેચવા-ખરીદવાનો ­વ્યવસાય કંગાળ નથી પરંતુ ક્રિએટીવીટીનું સિમ્બોલ ગણાતી બૂક્સના સેલિંગ પાછળ જ કોઇ ક્રિએટીવ માર્કેટીંગ રહેલું નથી! ઘણા લોકોને એ પણ ખબર નથી કે વિશ્ર્વનું પ્રથમ બેસ્ટ સેલર પુસ્તક ભારત પર લખાયેલું છે. વિશ્ર્વનું સૌથી વધુ વંચાયેલું, અન્ય ભાષામાં પ્રગટ થઈ છપાયેલું પુસ્તક પણ ભારતનું જ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી અને ઇકોફ્રેન્ડલી એન્વામેન્ટને ધ્યાનમાં રાખી ઇ-બૂક એપ્લીકેશન એન્ડ વેબસાઇટ્સ, બ્લોગ્સનું આપણે ત્યાં ચલણ વધ્યુ છે. પુસ્તક ઘર બેઠા ડાઉનલોડ કરી વાંચી શકાય છે અને મિત્રો સાથ તેની લિંક શેઅર કરી વધુ લોકોને વંચાવી પ્રસાર થઇ શકે છે. આ સાથે કેટલીક શોપીંગ સાઇટ્સ પર પુસ્તકોનું વહેચાણ થાય છે. કેટલું સરળ છે પુસ્તક ખરીદવું, વાંચવુ અને હા વાંચ્યા પછી..

પુસ્તકો ખરીદવા, વાંચન કરી લીધા બાદ તેની કાળજી અને જનત ઘરની બીજી કિંમતી વસ્તુઓની માફિક કરવું એટલું જ જરૂરી છે. જેમ ઘરમાં લક્ષ્મીની સાચવણી માટે તીજોરી હોય છે તેમ પુસ્તકોની ગોઠવણી માટે એક ટેબલ, પટારો હોવો જોઇએ. જૂના પુસ્તકો જેટલા સચવાશે અને નવા પુસ્તકો જેટલા વંચાશે એટલા વધુ લોકોને કપરા સમયમા વાંચન દરમિયાન સાચવી લેશે. આજ અગત્યનું છે. કારણ, સારા પુસ્તકની પસંદગી બાદએક સમયે વાંચી લીધા પછી ભવિષ્યમાં તેનું ફરીથી વાંચન એક નવો સંદેશ, એક નવી રાહ આપશે.

ઇનશોર્ટ પુસ્તકો બને એટલા વાંચો, વહેચો, વસાવો, વંચાવવાનો પ્રયત્ન કરો. પુસ્તકોએ નવજીવન આપનારા પ્રભુ છે. એ નકારાત્મકતાને ભગાવનાર ડૉકટર છે. એ આપણી અંદર જ્ઞાનનો સંચાર કરનાર શિક્ષક છે. કેટલીક પુસ્તકોને લાગતી-વળગતી પ્રવૃતિ છાનેખૂણે તમારી ઘર-સોસાયટીના નાકે કે શહેરનાં એકાદ વિસ્તારમાં ચાલતી હશે જ. તમે પણ સરસ્વતીનાં ઉપાસકની બનવાનો લાભ ઉઠાવી શકો છો. અથવા તમે પણ જો પુસ્તકપ્રેમી છો તો કોઇ નવી પ્રવુતિ શરુ કરી શકો છો.

ગુજરાતમાં અને ગુજરાતી જાણતા વર્ગમાં એકંદરે શિક્ષણની સ્થિતિ સારી છે. પરંતુ પુસ્તકિયાજ્ઞાન કરતાં પણ પ્રેટિકલ નોલેજનું જ્ઞાન જ બહેતર તેવી નબળી વાતો કરનારને એ જણાવવુ અને જાણવુ જરુરી છે કે સહી-ગલતને પારખવાની, ઊંચ-નીચને ઓળખવાની અને મૂલવવાની મૂળભૂત દ્વષ્ટીકોણની ક્રિયા શીખવાની કળા પુસ્તકોના પાંના પર અકાયેલી પડી છે. બ્લેક એન્ડ વ્હાઇટ શબ્દો અને કાગળ પર ચિત્રેલુ સાહિત્ય માનવીનાં જીવનમાં કઇ રીતે, ક્યા પ્રકારે, કેટલા રંગો પૂરે છે એ મને વધુસમજાવવાની જરુરત લાગતી નથી. એ અનુભવવુ પડશે.

ખૈર, પુસ્તકો વધુ વહેચાય, વંચાય એ બદલ દરેક અખબાર, સામાયિકે ફરજ સમજી બૂક રીવ્યૂસની કોલમ શરુ કરવી જોઇએ. લેખક, કવિ, સાહિત્યકાર, સમીક્ષક જોડે વાંચકોનો સંપર્ક ગોઠવી મીડિયાએ ગોષ્ઠી, વાર્તાલાપ, ચર્ચામંચ જેવા કાર્યક્રમ યોજવા જોઇએ. શાળા-મહાશાળા કોલેજ, યુનિવર્સિટીમાં ભણતર ઉપરાંતના વિષયો પર પુસ્તક સમીક્ષા, વાંચન યાત્રા યોજાતી રહેવી જોઇએ. અને એક લાઇન આ સેન્સમાં ક્યારેય ન ભૂલવી જોઇએ – પઢેગા ભારત, તો હી બઢેગા ભારત. મતલબ કે વિકાસ સાધવાનો એક પાયો પુસ્તકનાં પ્રચાર-પસારનો પણ છે.

– ભવ્ય રાવલ

Tags: Bhavya RavalBookscelebrationImportance
Previous Post

મિલિંદ સોમણે 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન..!!

Next Post

એર ઈન્ડિયાની અમૃતસર-દિલ્હી ફ્લાઇટ ખરાબ હવામાનના પગલે ગંભીર અકસ્માતથી માંડ માંડ ઉગરી

Next Post

એર ઈન્ડિયાની અમૃતસર-દિલ્હી ફ્લાઇટ ખરાબ હવામાનના પગલે ગંભીર અકસ્માતથી માંડ માંડ ઉગરી

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટ મુજબ વિશ્વના તમામ દેશોનું દેવું વધતા વૈશ્વિક મંદીનો ભય

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri