અમદાવાદના દરિયાપુર લાખોટા પોળમાં છત ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. મકાનના બીજા માળનું ધાબું ધરાશાયી થવાથી નીચે પાર્કિંગ કરેલા વાહનો પર પડ્યો હતો. કાટમાળ નીચે પડતા ૪ વાહનોને નુક્શાન થયુ છે. મળતી માહિતી અનુસાર સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તો બીજી અન્ય એક ઘટનામાં આણંદના પેટલાદમાં મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી ગઇ હતી. ઘટના ચોકસી બજારમાં બની હતી કે જ્યાં સ્વામીનારાયણ મંદિર સામે આવેલું મકાન એકાએક ધરાશાયી ગયું હતુ. મહત્વની વાત એ છે કે, આ પહેલા મકાનનો નાનો ભાગ પડતા જ મકાનમાં રહેતો પરિવાર બહાર નીકળી ગયો હતો. અને ત્યારબાદ મકાન ધરાશાયી થયું હતુ. જેથી મોટી જાનહાની ટળી હતી.
લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી...
Read more