પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરના શિખર પર અલગ અલગ ૬ ધ્વજા લહેરાવામાં આવી. વાવાઝોડાને લીધે જે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર ચડાવાઈ શકી ન હતી. જેના કારણે હવે દરરોજ ૧૫ દિવસ સુધી ૫ને બદલે ૬ ધ્વજા ચઢાવવામાં આવશે. સવારે ૪ ધ્વજા અને સાંજે ૨ ધ્વજા મંદિરે ચઢાવાશે.દ્વારકાધીશ મંદિર પર દરરોજ જુદા જુદા ભક્તો દ્વારા પાંચ ધ્વજા ચઢાવવામાં આવે છે. બિપરજોય વાવાઝોડાના સંદર્ભે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર ઉપર ચડી શકી ન હોતી. તેથી હવે વેઈટિંગ લિસ્ટમાં રહેલા લોકોની ધ્વજા ચઢાવાની મનોકામના પુરી થશે અને ૧૫ દિવસ સુધી રોજ ૬ ધજા ચઢાવવામાં આવશે. દરરોજ સવારે ત્રણ અને સાંજે બે એમ પાંચ ધ્વજા ચઢાવાતી હતી. જે હવે સવારે ચાર અને સાંજે બે એમ કુલ છ ધ્વજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવશે.
પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર...
Read more