આગામી રથયાત્રાને પગલે સરકાર અને વહીવટી તંત્ર સતર્ક થઇ ગયુ છે, રથયાત્રા પૂર્વે અમદાવાદમાં ખાસ કરીને કોઇ પ્રશ્નો નડતરરૂપ ના રહે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, રથયાત્રા પૂર્વે કોટ વિસ્તારમા જર્જરિત મકાનો અંગે નૉટિસ આપવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુ કૉર્પોરેશને નૉટિસ આપાવની કામગીરી ઝડપથી શરૂ કરી દીધી છે. એમએમસીની આ કાર્યવાહીમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં આસ્ટોડીયા, જમાલપુર, ખમાસા, રાયપુર, શાહપુર સહિતના વિસ્તારોમા ૧૦૦થી વધુ મકાનો એવા છે જે જર્જરિત હાલતમા છે, આ તમામને નૉટિસ આપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે.
સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર ૨ લોકોની ધરપકડ
સુરત : ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં...
Read more