દિવાળી પર્વ નિમિત્તે સમગ્ર એનએસઈ પરિવાર વતી એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતુ કે અમે ઈચ્છીએ છીએ કે આ દિવાળી વિક્રમ સંવત 2079 આપના તમામ વાચકો અને તેમના પરિવારો માટે સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ લાવે. અમે વસ્તી વિષયક લાભ સાથે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં છીએ. આગળ જતાં, એનએસઇ માત્ર મૂડી બજારોના વિકાસમાં જ નહીં, પરંતુ સંપત્તિ સર્જન, રોજગાર સર્જન અને રોકાણકારોની નાણાકીય સુખાકારી હાંસલ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. ફરી એકવાર, હું આપ તમામને સલામત દિવાળીની શુભેચ્છા પાઠવું છું.
NBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, વાર્ષિક ધોરણે ૮૩ ટકાનો વધારો થયો
ફિનટેક અને NBFC કંપની પૂનાવાલા ફિનકોર્પે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ ના ચોથા...
Read more