અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ ફરી એકવાર વધ્યું છે. આજે અમદાવાદમાં પારો ૩૭.૬, ડિસામાં ૩૭, ગાંધીનગરમાં ૩૭, વડોદરામાં ૩૮.૧, સુરતમાં ૩૯, અમરેલીમાં ૩૮.૬, ભાવનગરમાં ૩૭, સુરેન્દ્રનગરમાં પારો ૩૯.૩ સુધી પહોંચ્યો હતો. પ્રવર્તમાન Âસ્થતિ અકબંધ રહી શકે છે પરંતુ આગામી ત્રણ દિવસ દરમિયાન પારો ફરી ૪૧ સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થવાની શરૂઆત થઇ ચુકી છે. હાલમાં હવામાનમાં આવેલા પલટાના કારણે મહત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો થયો હતો. હાલમાં ગરમીથી રાહત પણ મળી હતી.
હવામાનમાં આવેલા પલટાના લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ અને વાવાઝોડાથી ૧૦થી વધુના મોત થયા હતા. ત્યારબાદથી તાપમાન ઘટી ગયું હતું પરંતુ વહે ફરીવાર ગરમીમાં વધારો થયો છે. બેવડી સિઝનના કારણે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ સતત બદલાઈ રહ્યો છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે.
આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૩૯ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે.