પાટીદાર નેતા કથિરિયાને અંતે કોર્ટે જામીન આપ્યા

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

અમદાવાદ : રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જેલમાં જ દીવાળી ગાળ્યા બાદ આખરે આજે ગુજરાત હાઇકોર્ટે કથીરિયાને જામીન પર મુકત કર્યા હતા. હાઇકોર્ટે અલ્પેશ કથીરિયાને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. અલ્પેશ કથીરિયા જેલમાંથી મુકત થાય તે પહેલાં જ સુરત પોલીસે સુરતના અમરોલીના રાજદ્રોહના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી અને તેને સુરત લઇ જઇ સુરતની સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો. જા કે, પોલીસે તપાસ પૂર્ણ થઇ ગઇ હોવાથી તેના રિમાન્ડ માંગ્યા ન હતા., જેથી સુરત કોર્ટે અલ્પેશ કથીરિયાને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. બીજીબાજુ, અલ્પેશ કથીરિયા જેલમાંથી બહાર જ ના આવે તેવા ઇરાદાથી કિન્નાખોરી રાખી કાર્યવાહી કરી રહ્યા હોવાનો પાટીદાર સમાજે આક્ષેપ કર્યો હતો અને પોલીસના આ પ્રકારના વલણને લઇ પાટીદારોમાં ઉગ્ર આક્રોશ ફેલાઇ ગયો હતો.  રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરીયા દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી જામીનઅરજીમાં અગાઉ ગુજરાત સરકાર દ્વારા સખત વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી કે, અલ્પેશ અને તેના સાથીદારોએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું.

રાજ્યમાં અશાંતિ અને તનાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું. જાહેર શાંતિ હણવાના અને રાજયની કાયદો અને વ્યવસ્થાની પરÂસ્થતિ જાખમમાં મૂકવા બદલ આવા ગંભીર ગુનામાં તેને હાઇકોર્ટે જામીન આપવા જાઇએ નહી. કથીરીયા વિરૂધ્ધનો ગુનો ઘણો ગંભીર છે અને તેની વિરૂધ્ધ પ્રથમદર્શનીય પુરાવા છે ત્યારે હાઇકોર્ટે કથીરીયાની જામીન અરજી ફગાવી દેવી જાઇએ. અલ્પેશ અને તેના સાથીદારોએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તનાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું જેના કારણે હિંસા તેમજ તોડફોડ થઈ હતી. ભડકાઉ ભાષણો આપ્યા હતાં. સરકાર દ્વારા ટેલિફોનિક કન્વર્ઝેશનના રેર્કોડિંગના પુરાવાનો મુદ્દો પણ કોર્ટના રેકર્ડ પર રજૂ કરાયો હતો અને આરોપીના જામીન ફગાવી દેવા અદાલતને ભારપૂર્વક વિનંતી કરાઇ હતી. આ અગાઉ અલ્પેશ કથીરિયાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે કિન્નાખોરી રાખી કેસ કર્યા છે.

અલ્પેશે પોતાના સમાજ માટે અનામતની માગ કરી હતી, પ્રસ્તુત કેસમાં રાજદ્રોહનો કોઇ ગુનો બનતો જ નથી. પોલીસે ખોટી રીતે અરજદાર વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે. સરકારે અનામત આંદોલન વખતના ૪૫માંથી ૩૯ કેસ પાછા ખેંચ્યા હોવાનું પણ વકીલે જણાવ્યું હતું ત્યારે અરજદારને પણ જામીન પર મુકત કરવા જાઇએ. પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે આખરે આજે અલ્પેશ કથીરિયાને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. દરમ્યાન કથીરિયાને જામીન મળ્યાની જાણ થતાંની સાથે જ સુરત પોલીસે સુરતના રાજદ્રોહના કેસમાં તરત જ અલ્પેશ કથીરિયાની ટ્રાન્સફર વોરંટના આધારે સાબરમતી જેલમાંથી ધરપકડ કરી હતી અને તેને સુરત લઇ ગઇ હતી. પોલીસે કથીરિયાને સુરતની કોર્ટમાં રજૂ કર્યાે હતો. જા કે, સુરતના કેસની તપાસ પૂરી થઇ ગઇ હોવાથી પોલીસે કથીરિયાના રિમાન્ડ માંગ્યા ન હતા અને તેથી કોર્ટે કથીરિયાને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.

 

 

Share This Article