સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા લોકોનો અભૂતપૂર્વ ધસારો

News KhabarPatri
By News KhabarPatri 4 Min Read

અમદાવાદ :  કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટી પ્રવાસીઓ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દિવાળીના તહેવારોને લઇને પ્રવાસીઓ અને મુલાકાતીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જાવા જબરદસ્ત ક્રેઝ અને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી આજે સૌથી વધુ પ્રવાસીઓ કેવડિયા ખાતે ઉમટી પડ્‌યા હતી. એક અંદાજ મુજબ, આજે ૩૦ હજારથી પણ વધુ પ્રવાસીઓ કેવડિયા ખાતે પહોંચ્યા છે, જેના કારણે હાઈવે પર ૧૦ કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. દિવાળીના તહેવારોના પાંચ દિવસ મળી છેલ્લા નવ દિવસ દરમ્યાન ૯૦ હજારથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, જેના કારણે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને માત્ર પાંચ જ દિવસમાં રૂ.૨.૧૦ કરોડથી પણ વધુની આવક થયાનો અંદાજ છે. ગઈકાલે ૨૩,૬૬૬ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી, જેને લઇ ટિકિટ લેવા માટે પણ બે કિમીથી પણ લાંબી લાઈન લાગી હતી. ગઇકાલની જ આવક રૂ.૪૨ લાખથી વધુ નોંધાઇ હતી. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા એસટી નિગમને પણ લાખોની આવક થઈ છે. મહત્વનું છે કે ગઈકાલ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આવતા પ્રવાસીઓથી નિગમને ૫૦ લાખથી પણ વધુની આવક થઈ હતી. સ્ટેચ્યું ઓફ યુનિટી મુલાકાતીઓ માટે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. જા કે, દિવાળીના તહેવારો અનએ ત્રણથી ચાર દિવસના મીની વેકેશનના માહોલને લઇ ગુજરાત સહિત દેશભરમાંથી પ્રવાસીઓ બાળકો, પરિવારજનો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઉમટયા હતા.

અભૂતપૂર્વ ધસારા અને ભારે ભીડના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અવ્યવસ્થા અને કેઓસના પણ સ્વાભાવિક દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને ટિકિટ લેવામાં લાંબી લાઇનો અને બેસવા માટે પૂરતી વ્યવસ્થા નહી હોવાની મહિલાઓ-બાળકોએ ફરિયાદ કરી હતી. તો, અંદર જમવાનું કે નાસ્તો લઇ જવાની પરવાનગી નહી હોવાથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ લીફ્ટમાં જવા માટે પણ લાંબી લાઇન લાગતાં લોકો કંટાળ્યા હતા અને તંત્ર દ્વારા આયોજનનો અભાવ અને વ્યવÂસ્થત પ્લાનીંગ નહી કરાયું હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. એક તબક્કે ભારે ધસારો સર્જાતાં તંત્ર દ્વારા પાંચ હજાર મુલાકાતીઓની ક્ષમતા હોઇ તે પ્રમાણે જ પ્રવેશ આપવાનું નક્કી કરાયું હતું. બીજીબાજુ, તા.૧૨મી નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત મુલાકાતીઓ માટે સરકાર અને તંત્ર દ્વારા બંધ રખાઇ હોઇ પ્રવાસીઓને તા.૧૨મીની મુલાકાત નહી ગોઠવવા તાકીદ કરાઇ છે. બેસતા વર્ષના દિવસે આશરે ૧૭ હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા તો, ગઇકાલે ૨૩,૬૬૬ પ્રવાસીઓ નોંધાતા તંત્ર પણ પબ્લીકના ધસારાને પહોંચી વળવામાં ફાંફે ચડી ગયુ હતુ. તહેવારો દરમ્યાન વારેઘડીયે ટિકિટ બારી બંધ કરવી પડે તેવી દ્રશ્યો પણ સર્જાયા હતા. કેવડિયામાં આવેલી ટેન્ટ સિટીમાં પ્રવાસીઓએ ૭૦ ટકા ટેન્ટ અગાઉથી જ બુક કરાવીને રાખ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ૨૫૦ ટેન્ટની ટેન્ટ સિટી બનાવવામાં આવી છે.

જિલ્લામાં આવેલી મોટાભાગની હોટલો અને અતિથિગૃહોની બહાર હાઉસફુલના પાટિયા લાગ્યાં છે. નર્મદા જિલ્લામાં વેકેશનમાં હજી પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા બંધ, ઝરવાણી, વિશાલખાડી, માલસામોટ સહિત સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. જેથી આ ચાર દિવસની રજાઓમાં પ્રવાસીઓએ પહેલાથી એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. નર્મદા ડેમ વિસ્તારોમાં અંદર તળાવ ૩ પાસે અને તળાવ ૪ પાસે બે ટેન્ટ સીટી છે ટેન્ટ સીટીના સંચાલકને પણ ખાસ ચેકિંગ અને આવનાર પ્રવાસીઓની આઈડેન્ટી રાખવા પોલીસ વિભાગ તરફથી સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સોમવાર સુધી બંધ રહેશે. પ્રવાસીઓના ધસારાને લઈ સરકારે આ નિર્ણય લીધો છે. તેમજ પ્રવાસીઓને મુલાકાતનું આયોજન ન કરવા સૂચના આપવામાં આવી છે. તા.૧૨ નવેમ્બર બાદ મુલાકાતનું આયોજન કરવા લોકોને તંત્ર દ્વારા સૂચના જારી કરાઇ છે.

Share This Article