વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવામાં સમગ્ર દેશમાં સોલર, પવન, હાઇડ્રોપાવર જેવી રિન્યુએબલ એનર્જી મહત્વનો ફાળો આપી રહી છે. જે અંતર્ગત સામાન્ય નાગરિકો પણ પોતાના ઘર ઉપર સોલર પેનલ લગાવીને પર્યાવરણની જાળવણી સાથે આર્થિક ઉપાર્જન મેળવી શકે તે માટે કેન્દ્ર સરકારે ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ અમલી બનાવી છે.
આ યોજનામાં ગુજરાતે ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દેશના અગ્રણી રિન્યુએબલ એનર્જી રાજ્ય તરીકે પોતાની વૈશ્વિક અને રાષ્ટ્રીય ઓળખ વધુ મજબૂત બનાવી છે. કેન્દ્ર સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ અંતર્ગત ‘Month of Solar – May 2026’ પહેલ હેઠળ ગુજરાતે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવી કેટેગરી-B રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજનાના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના ‘અટલ અક્ષય ઊર્જા ભવન’ ખાતે આજે ભવ્ય રાષ્ટ્રીય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીના હસ્તે ગુજરાતને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર વતી આ ગૌરવશાળી એવોર્ડ્સ GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.
ગુજરાતે કઈ કેટેગરીમાં મેળવ્યું દેશભરમાં પ્રથમ સ્થાન?
ગુજરાતે ઉત્કૃષ્ટ અમલીકરણ અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ ‘પીએમ સૂર્ય ઘર એક્સેલન્સ એવોર્ડ’ મેળવવાની સાથે અન્ય ચાર મહત્વપૂર્ણ શ્રેણીઓમાં પણ દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
અન્ય ચાર મહત્વપૂર્ણ શ્રેણીઓ
૧. નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ
૨. સૌથી વધુ રૂફટોપ સોલરનું કમિશનિંગ
૩. DISCOM દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ
૪. સૌથી વધુ વેન્ડર નોંધણીઓ
આ ઐતિહાસિક સફળતા બદલ સમગ્ર રાજ્યને અભિનંદન પાઠવતાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘MNRE દ્વારા તા. 1 મે થી 31 મે, 2026 દરમિયાન આયોજિત ‘મંથ ઓફ સોલાર મે-2026’ અભિયાન દરમિયાન ગુજરાતમાં 3.06 લાખ કરતાં વધુ ગ્રાહક અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જે પૈકી ૩૫ હજારથી વધુ રૂફટોપ સોલર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 42.554 ડિસ્કોમ નિરીક્ષણો પૂર્ણ કરવાની સાથે 210 નવા વેન્ડરોની નોંધણી થઈ છે. આ કામગીરીના આધારે ગુજરાતે કેટેગરી-B રાજ્યોમાં તમામ ચાર કામગીરી આધારિત શ્રેણીઓમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતે નેશનલ પોર્ટલ પર 10.66 લાખથી વધુ ગ્રાહક અરજીઓ તથા 6.61 લાખ રૂફટોપ સોલર લગાવવામાં આવ્યા છે.
વધુમાં, મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અગ્રવાલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનથી પ્રેરિત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તેમજ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા ઉપરાંત મુખ્ય સચિવ એમ. કે. દાસના નેતૃત્વમાં ગુજરાતે રૂફટોપ સોલાર અપનાવવામાં આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. આ પુરસ્કારો ગુજરાતના એ સૌર ઊર્જા અપનાવનાર દરેક જાગૃત નાગરિકના છે, જેમણે ગ્રીન એનર્જીને અપનાવીને પર્યાવરણની રક્ષા કરી છે.
આ ગેલેરીઓમાં 9D વર્ચ્યુઅલ રિયાલિટી સિમ્યુલેટર, વિશાળ એક્વેરિયમ, પીઝો ઇલેક્ટ્રિક ફ્લોર અને ઇન્ટરેક્ટિવ પઝલ ઝોન આવેલા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ STEM, AI, રોબોટિક્સ અને શિક્ષક-તાલીમ આપતું આ કેન્દ્ર 100 kW સોલાર પ્લાન્ટ અને ‘ઝીરો વોટર વેસ્ટ’ સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન કેમ્પસનું બિરુદ પ્રાપ્ત કરી ચૂક્યું છે.
રાજકોટ રિજિનલ સાયન્સ સેન્ટર: ઈનોવેશન અને ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીનું હબ
તા. 19 ઓક્ટોબર, 2022ના રોજ લોકાર્પણ કરવામાં આવેલા રાજકોટ રિજનલ સૅન્ટર હાઉ સ્ટફ વર્ક્સ, રોબોટિક્સ, મશીન એન્જિનિયરિંગ, ગ્લાસ એન્ડ સિરામિક, નોબેલ પ્રાઈઝ અને લાઈફ સાયન્સ જેવી 6 થીમ આધારિત ગેલેરી ધરાવે છે. લગભગ 1.69 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અને અંદાજે 3.64 લાખથી વધુ મુલાકાતીઓ અહીં વિજ્ઞાન-જગતના રહસ્યો જાણ્યા-માણ્યા છે. કેમ્પસ ખાતે ઓગમેન્ટેડ રિયાલિટી(AR), વર્ચ્યુઅલ રિયાલિટી(VR), હોલોગ્રામ અને સિમ્યુલેશન ઝોન દ્વારા બાળકોને ડ્રોન ટેક્નોલોજી અને STEM વર્કશોપ જેવી નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીનું શિક્ષણ આપવામાં આવે છે.
આમ,વડાપ્રધાનના 12 વર્ષના રાષ્ટ્રીય નેતૃત્વની સફર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાત જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં નિરંતર પ્રગતિ કરી રહ્યું છે.
