વડોદરા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

News KhabarPatri
1 Min Read

ગત બે દિવસ પહેલા વડોદરાનો એક પરિવાર કબીરવડ ખાતે દર્શન કરવા ગયો હતો અને પરત ફર્યો ત્યારે નેશનલ હાઈવે પર તરસાલી નજીક એક બંધ ઉભેલા ટ્રક પાછળ કાર ઘુસી જતા એક જ પરિવારના પાંચ સભ્યોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા હતા. આ પરિવારની એક ચાર વર્ષની દિકરીનો આબાદ બચાવ થયો હતો.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને દિકરીને ૭૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

Share This Article