હવે ખેતીને સ્માર્ટ બનાવવાની જરૂર

ડિજિટલ ટેકનિકના માધ્યમથી અમે ખેડૂતોને જાગૃત કરી શકીએ છીએ. તેમના રાજ્ય અને જિલ્લામાં જળ સ્તર કેવુ છે તેને લઇને વાકેફ કરી શકીએ છીએએ. જેના કારણે જળના સદઉપયોગ કરીને વધારે નફો ખેડુતો મેળવી શકે છે. સ્માર્ટ ફોનના પ્રયોગથી ખેતીને પણ સ્માર્ટ બનાવવામાં આવી શકે છે. ઇન્ટરનેટથી પોતાના પાકના સંબંધમાં સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે.

જો પાકમાં કોઇ પણ પ્રકારના રોગ છે તો તે અંગે પણ માહિતી મેળવી શકાય છે. સ્માર્ટ ફોનથી ફોટો મોકલીને નિષ્ણાંતોના અભિપ્રાય મેળવી શકાય છે. ભારતમાં ડિજિટલ ટેકનિકનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આજે દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોના હાથમાં પણ આપને મોબાઇલ ફોન જોવા મળી શકે છે. જેથી આ ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરીને ખેતીમાં પણ લાભ અને ફાયદા મેળવી શકાય છે. ડિજિટલ ટેકનિકનો ખેતીમાં ઉપયોગ કરવાની વ્યાપક તક રહેલી છે.

માત્ર જરૂર છે તો આ ક્ષેત્રમાં ટેકનિકનો વધારે સારો ઉપયોગ કરવાની છે. આજે દેશમાં ૧૨ કરોડ ખેડૂતો સીધી રીતે ખેતી અને ખેતી સાથે જોડાયેલા કારોબારમાં જોડાયેલા છે. જુદા જુદા અભ્યાસ અને દાખલા મારફતે સાફ થઇ ગયુ છે કે ડિજિટલ ટેકનિકના ઉપયોગને વધારી દેવાથી કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન આશરે ૧૦ ટકા અને ઉત્પાદકતામાં આશરે પાંચ ટકાનો વધારો થઇ શકે છે. આ ઉપરાંત ઉત્પાદનની ગુણવત્તાને સુધારી દેવામાં પણ મદદ મળે છે. ખેડુતોની રોકડ આવકમાં પણ આને કારણે વધારો થઇ શકે છે. સૌથી મોટા દાખલા હાલમાં હરિયાણા, પંજાબ, ઓરિસ્સા અને બિહારમાં જોવા મળ્યા છે. ત્યાં કયા ક્ષેત્રમાં અનાજને કેટલા પ્રમાણમાં પાણીની જરૂર છે, છોડને કેટલા અંતર પર રાખવાની જરૂર છે, કયાં ક્યા સમય પર ખેતીના ક્ષેત્રમાં કેટલા પ્રમાણમાં ખાતર આપવાની છે તે અંગે માહિતી મળી જાય છે. આ તમામ બાબતોનુ ધ્યાન ડિજિટલ ટેકનિકના મારફતે રાખવામાં આવે છે. આનુ પરિણામ એ આવ્યુ છે કે અનાજના ઉત્પાદન અને ઉત્પાદકતામાં ઉલ્લેખનીય વધારો થયો છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં અનાજનુ ઉત્પાજન ૧૦.૩૬ કરોડ સુધી વધીને ૧૧.૫૦ કરોડ સુધી પહોંચી ગયુ છે.

ખેડૂતોને ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરીને હવામાનની માહિતી પણ આપી શકાય છે. પાકને વિવિધ પ્રકારના જંતુ અને બિમારીથી બચાવી શકાય છે. દેશમાં કરોડો ગ્રામીણ યુવાનો ગામમાં રોજગારી મેળવી લેવા માટે પ્રયાસ કરે છે. આના કારણે યુવાનોને રોજગારીની સાથે સાથે કૃષિનુ ઉત્પાદન પણ વધી શકે છે. જો આ ગ્રામીણ યુવાનોને કૃષિમાં ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ આપવામાં આવે તો આના કારણે રોજગારની વ્યાપક તક સર્જાશે. ગ્રામીણ ક્ષેત્રમાં દર મહિને ૧૦ લાખ બેરોજગાર યુવાનો વધી રહ્યા છે. તેમને રોજગારી આપીને ઉત્પાદન વધારી દેવાની બાબત પ્રાથમિકતા રહે તે જરૂરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *