અમિત શાહ આજે ગુજરાતના ટુંકા પ્રવાસે આવશે : વાઘાણી

News KhabarPatri
2 Min Read

અમદાવાદ : ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં લોકશાહીનું ચૂંટણી પર્વ જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ભારતભરમાં પ્રવાસી કરી ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠકના લોકલાડીલા ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતના ટુંકા પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહના ગાંધીનગર લોકસભા વિતારમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવેલ છે.

અમિત શાહ આજે ડા.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધનગર લોકસભા વિસ્તારમાં કલોલ ખાતે આવેલ ડા.બાબાસેહબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આદરાંજલી અર્પણ કરી ભવ્ય રોડ-શોની શરૂઆત કરશે. જે રોડ શો નીચે મુજબના રૂટ પ્રમાણે આગળ વધશે.

ડા.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને રોડ શોનું પ્રસ્થાન થશે, ત્યારબાદ ત્રણ આંગળી સર્કલ, ખુની બંગલા, રેલવે સ્ટેશન, ખમાર ભુવન, ટાવર ચોક, જ્યોતિશ્વર મહાદેવ, નગરપાલિકા જુના ફાયર સ્ટેશન ગેઇટ, નંદલાલ ચોક, વખારીયા ચાર ર્તા, કોબા સર્કલ, શારદા સર્કલ, બોરસણા ગરનાળા, અંબિકાનગર, શ્રીજી પાર્લર, હનુમાનજ મંદિર પાસે લોકસંપર્ક યાત્રા (રોડ શો)નું સમાપન થશે તેમ જીતુભાઈ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું. અમિત શાહ હાલમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બનેલા છે. ગુજરાતમાં પણ તેઓ જુદા જુદા કાર્યક્રમોમાં સતત વ્યસ્ત રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી ઉમેદવાર અમિત શાહ કાર્યકરો અને વરિષ્ઠ સભ્યો સાથે વાતચીત કરનાર છે. અમિત શાહના કાર્યક્રમ ઉપર કાર્યકરોન નજર છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *