હવે પૂર્વોતર ભારતમાં તીવ્ર ભૂકંપ : લોકોમાં ભારે ભય

News KhabarPatri
2 Min Read

નવી દિલ્હી: પૂર્વોતર  ભારતમાં આજે સવારે તીવ્ર ભૂકંપના કારણે લોકોમાં વ્પાપક દહેશત ફેલાઇ ગઇ હતી. ભૂકંપના કારણે લોકો તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ હોવાનુ જાણવા મળ્યુ છે. તેને નુકસાન કરી શકાય તેટલી તીવ્રતાના આંચકા તરીકે ગણી શકાય છે. જે રાજ્યોમાં પ્રચંડ આંચકાની અસર રહી હતી તેમાં બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોતરના અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે. ભૂકંપનુ કેન્દ્ર આસામના કોકરાઝારમાં હોવાનુ જાણવા મળ્યુ છે.

આંચકાની અસર ૨૦થી ૩૦ સેકન્ડ સુધી લોકોએ અનભવ કરી હતી. પૂવોતરમાં આંચકો આવ્યા બાદ સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આંચકા બાદ મોટા શહેરોમાં લોકો તેમના ઘરમાંથી બહાર દોડી ગયા હતા. એકબીજા સાથે વાત કરતા નજરે પડ્યા હતા. હાલમાં ભારતમાં સતત હળવા આંચકા આવ્યા છે. આજે સવારે આવેલા આંચકાની અસર ૫.૫ રહી હતી. આસામ, નાગાલેન્ડ, મણિપુર અને નાગાલેન્ડમાં પણ આંચકાનો અનુભવ લોકોએ કર્યો હતો.

જમીનથી ૧૨ કિલોમીટર સુધી નીચે હોવાના કારણે તેની અસર આશિક રીતે ઘટી ગઇ હતી. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં પણ આંચકાની અસર રહી હતી. જમ્મુ કાશ્મીરમાં તીવ્રતા ૪.૬ નોંધાઇ હતી.હરિયાણામાં તીવ્રતા ૩.૩ રહી હતી. અધિકારીઓએ કહ્યુ છે ક ધરતીકપના કારણે કોઇ પણ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નથી. જો કે સંબંધિત વિભાગના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોમાં વ્યાપક શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. હાલમાં ભારતમાં કેટલાક આચકા આવ્યા છે. નિષ્ણાંતો કબુલાત કરી ચુક્યા છે કે ભારતમાં પ્રચંડ આંચકો આવી શકે છે. બિહારના કટિહારમાં ૩૦ સેકન્ડ સુધી અસર રહી હતી. પટણામાં પણ લોકોએ આંચકો અનુભવ્યો હતો. બિહારમાં લોકોને ત્રણ વર્ષ પહેલા આવેલા ધરતીકપની યાદ તાજી થઇ ગઇ હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *