આ યુગના સૌથી મોટા નેતાની ચીરવિદાયથી આપણને કદિ ન પૂરાય એવી ખોટ પડી છે: મુખ્યમંત્રી

News KhabarPatri
1 Min Read

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી અટલ બિહારી બાજપેયીજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. સ્વ.  અટલ બિહારીજીને શ્રદ્ધાંજલી પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ યુગના સૌથી મોટા નેતા અટલજીની ચીરવિદાયથી આપણને સૌને કદિ ન પૂરાય એવી ખોટ પડી છે.

 મુખ્યમંત્રીએ કહ્યું કે શ્રી અટલ બિહારીજીને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને હરેક વ્યક્તિએ પ્રેમ-આદર સન્માન આપ્યા છે. મુખ્યમંત્રીએ તેમને આદરાંજલિ પાઠવતા ઉમેર્યું કે સ્વ. અટલજીની વિશાળતા, દેશભક્તિ અનેરાષ્ટ્ર માટેનો સમર્પિત ભાવ માત્ર કાર્યકર્તાઓને જ નહિં, સમગ્ર દેશના સૌ નાગરિકોને સદાકાળ પ્રેરણા આપતો રહેશે.

 વિજયભાઈ રૂપાણીએ સ્વ. અટલ બિહારીજીએ સાચા અર્થમાં લોકહૃદયના સિંહાસને બિરાજતા લોકપ્રિય નેતા તરીકે અદકેરું સ્થાન-ચાહના મેળવ્યાં હતાં તેમ પણ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વ. અટલજીના આત્માની પરમશાંતિ માટે પ્રભુપ્રાર્થના સાથે આ દુઃખ સહન કરવાની તેમના સ્વજનોને ઇશ્વર શક્તિ આપે તેવી પણ અભ્યર્થના શોકાંજલિમાં વ્યક્ત કરી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *