ગુજરાત તપીને હવે સોનું બની ગયું,લોકોને લૂંટનારાને છોડીશ નહીં : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટેના એપી સેન્ટર ગણાતાં જામકંડોરણામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
30 થી 45 વર્ષના લોકોમાં હૃદયની બીમારી નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે
'વિશ્વ હૃદય દિવસ 2022' નિમિત્તે ગેલેક્સી હોસ્પિટલ, મહેસાણા ના તબીબો દ્વારા હૃદય રોગના કેસો માં થતા વધારા અને તેની તરફ દોરી રહેલા ટોચના જોખમી પરિબળો અંગે જાગૃતિ લાવવાનો કરાયો પ્રયત્ન : મહેસાણા તેમજ ઉત્તર ગુજરાત માં છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટએટેકના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક ફેરફારો ડોકટરો દ્વારા નોંધવામાં આવ્યા છે જેમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક અને તેને સંબંધિત બીમારીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. મહેસાણા ખાતેની ગેલેક્સી હોસ્પિટલના ડાયરેક્ટર અને સિનિયર ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કમલેશ ઠક્કરે 'વર્લ્ડ હાર્ટ ડે 2022' નિમિત્તે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 29 મી સપ્ટેમ્બરને દર વર્ષે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ હૃદય રોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તેઓએ છેલ્લા બે વર્ષમાં જે અંદાજિત 5,000 જેટલા હાર્ટ એટેકના કેસોનો અભ્યાસ કર્યો છે એમાં ઘણી ચિંતાજનક બાબત એ છે કે તેમાંથી 25-40% જેટલા દર્દીઓ તો કોઈ વારસાગત હ્દયરોગ થવાના પરિબળો ધરાવતા ન હતા અને એમાંના ઘણા બધા દર્દીઓ યુવાન વયના પણ હતા( 45 વષઁ કરતાં નાની ઉંમર). હૃદય રોગના યુવાન દર્દીઓમાંથી 30 % જેટલા હાર્ટ એટેકના દર્દીઓ ઉચ્ચ તણાવ વાળી નોકરીઓ કે કામધંધા સાથે સંકળાયેલા હતા જેમાંથી ખુદ ડોકટરો પણ બાકાત રહ્યા નથી. આ સિવાય શહેરી વિસ્તારોમાં જોવા મળતો વધારે પડતો માનસિક તણાવ( દોડધામ ભરેલ જીવન) તથા મોટી સંખ્યામાં યુવાનો દ્વારા કરવામાં આવતા ધૂમ્રપાન, તમાકુ અને મદ્યપાનનું સેવન પણ હૃદય રોગની સમસ્યામાં નોંધપાત્ર વધારો કરે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હાયપરટેન્શન, જાડાપણું તથા બેઠાડું જીવન જેવા પરિબળો તો પહેલેથી જ હૃદયરોગ જલદી લાવનાર કારણો તરીકે ખ્યાતનામ છે ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને કારણે પણ હૃદય સંબંધિત સમસ્યાઓમાં ઘણો વધારો થયેલ છે જેમાં હવાનું પ્રદૂષણ, ખોરાકમાં થતી ભેળસેળ, જંકફુડનુ વધતું જતું પ્રમાણ, સાથે સાથે દોડધામ વાળું જીવન તેમજ દરેકના મનમાં શાંતિનો અભાવ જેવા પરિબળો પણ યુવા ભારતીયોમાં હૃદય રોગનું પ્રમાણ બીજા દેશો કરતા 15 થી 18% જેટલું વધારે છે. યુવાન ભારતીયોમાં હાર્ટ એટેક પશ્ચિમી દેશો કરતા ત્રણથી ચાર ગણા વધારે પ્રમાણમાં થાય છે. વિકસિત થઈ રહેલા દેશોમાં જેવા કે ભારતમાં ઘણા બઘા યુવાનો આક્રમક રીતે ઉચ્ચ કાર્યક્ષેત્રોને અનુસરીને ( મોટા મોટા લક્ષ્યાંકો રાખીને) શારીરિક તેમજ માનસીક તણાવ વિકસાવીને, વિષમ કલાકોમાં કામ કરીને અને બિન આરોગ્યપ્રદ આહાર ની આદતોને અનુસરીને હૃદય રોગની સમસ્યાઓને ઝડપથી આમંત્રણ આપે છે. હાર્ટ એટેકનો ભોગ બનેલા 45 વર્ષથી ઓછી ઉંમરના મોટાભાગના લોકો ધૂમ્રપાન પણ કરતા હોય છે તથા ઘણા વ્યવસાયો પણ એવા હોય છે કે જે યુવાનોને હવાના પ્રદૂષણના સંપર્કમાં લાવે છે અને તે પ્રદૂષણ દિવસમાં પાંચથી દસ સિગરેટ પીવા જેટલુ હાનિકારક હોય છે. મોટા ભાગના હૃદય રોગના દર્દીઓને હાયપરટેન્શન( હાઈ બીપી) અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ હોય છે. અને આપણો દેશ જેમ દુનિયાભરમાં સૌથી વધુ યુવાધન માટે પ્રખ્યાત છે તેમ દુનિયા ભરમાં સૌથી વધારે હાઇ બીપી તેમજ ડાયાબિટીસ ના દર્દીઓ પણ આપણા ત્યાં જ વધારે છે તેથી જ ભારતના યુવાનોમાં પશ્ચિમ દેશોની સરખામણીમાં ઓછામાં ઓછી 10 વર્ષ વહેલી ઉંમરમાં હાર્ટ અટેક આવે છે. જેમાં હૃદયની એક કરતાં વધારે નળીયોમાં એક કરતાં ઘણા વધારે બ્લોકેજ જોવા મળે છે. જેને Diffuse disease (વધુ ફેલાયેલ રોગ) કહેવામાં આવે છે.
એ-1 સુરેજા ઇન્ડસ્ટ્રીઝે ભારતની પ્રથમ ઇ-બાઇક “એક્સપ્લોઝિવ” ગુજરાત માર્કેટમાં લોંચ કરી, ગ્રાહકોની જરૂરિયાત મૂજબ નવા ઇવી મોડલ્સ લોંચ કરવાની યોજના
અમદાવાદ સ્થિત એ-1 એસિડ લિમિટેડ ગ્રૂપની એસોસિયેટ કંપની એ-1 સુરેજા ઇન્ડસ્ટ્રીઝ આજે…
ગુજરાતના ચૈતન્યધામ ખાતે સત્પથ પ્રશ્નમંચ ગ્રાન્ડ ફિનાલેનો ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાશે
ગુજરાતના ચૈતન્યધામમાં સત્પથ પ્રશ્નમંચ ગ્રાન્ડ ફિનાલેનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.…
ચંડીગઢ MMS લીકનું સરઘસ પહોંચ્યું ગુજરાત સુધી, થઈ શકે ચોથી ધરપકડ?!…
ચંડીગઢ MMS લીક કાંડના તાર મુંબઈ અને ગુજરાત સાથે જોડાઈ રહ્યા છે.…
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કેર એન્ડ ક્યોર હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, આઈવીએફ અને હાઈ રિસ્ક ઓબ્સ્ટ યુનિટનું ઉદ્ઘાટન કર્યું
અમદાવાદના મણિનગર વિસ્તારમાં 100 બેડની કેર એન્ડ ક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે કાર્ડિયોલોજી…
અભિનેતા હેમંત ખેર નું સફળતા પૂર્વક સ્કેમ 1992 વેબ સીરીઝ બાદ OTT પર ફરી વાર આગમન, ઓહો ગુજરાતી પર ‘આઝાદ’ જે નવમી સપ્ટેમ્બર થી રજૂ થાય છે.
'આઝાદ' એક મહત્વાકાંક્ષી ઇન્વેસ્ટિગેટિવ કોપ, રણજીતની વાર્તા છે, જે પેટ-હોસ્ટેલની માલિક, રક્ષા…
મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડે સંતુલિત અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ટીટીએફ – અમદાવાદ 2022માં ભાગ લીધો
કેટલાક સ્થળો અપરિવર્તનશીલ હોય છે. તેઓ તમારા પર ધીમે ધીમે વધે છે…
વ્યાપાર જગત એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી ઇનિશિયેટિવ ગ્રીનપ્રિન્યોર નેશનલ મીટ કન્વેન્શન અને એવોર્ડ્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું
પર્યાવરણ પ્રત્યે જાગૃત અને પર્યાવરણના અનુકૂળ વાતાવરણને વધુ સારું બનાવવા માટે સમાજે…
પ્રથમ વખત નવરાત્રીમાં “કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ -2022″નું અમદાવાદમાં થઈ રહ્યું છે આયોજન
નવરાત્રીને આડે થોડો સમય જ બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓની થનગનાટમાં વધારો…
