અમદાવાદ
ટેક્નોલોજી, વિશ્વાસ અને ટીમવર્કમાં બે દાયકા પૂરા કરતી બેન્ચમાર્ક એજન્સીઝ
અમદાવાદઃ વૉટર હીટિંગ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી બેન્ચમાર્ક એજન્સીઝ પ્રાઈવેટ લીમિટેડે 2004 થી 2024 સુધીની પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરીને ઈનોવેશન, ઉત્કૃષ્ટતા અને વિશ્વાસના 20 વર્ષની ઉજવણી કરી. છેલ્લા બે દાયકાથી બેન્ચમાર્કનું મિશન રહેણાંક અને વ્યાવસાયિક ઉપયોગ માટે શ્રેષ્ઠ વૉટર હીટિંગ સેવાઓ અને પ્રોડક્ટ્સ પૂરી પાડવાનું રહ્યું છે. વિશ્વકક્ષાના ગુણવત્તાયુક્ત ઉપકરણો, તાલીમબદ્ધ ટેક્નિશિયન અને ટકાઉ ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગના સંયોજન થકી બેન્ચમાર્ક સતત વધુ મૂલ્યનું સર્જન કરતી આવી છે. કંપનીની મુખ્ય પ્રોડક્ટ્સમાં રેસિડેન્શિયલ વૉટર હીટર, કોમર્શિયલ વૉટર હીટર, વૉટર ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ તેમજ સોલર રૂફટોપ પીવી સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા બદલ કંપનીને પોતાના પર ગર્વ છે, જે ઘરની સલામતીમાં વધારો કરે છે અને ખર્ચની બચતમાં યોગદાન આપે છે.સીમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણીના પ્રસંગને સંબોધન કરતા બેન્ચમાર્ક એજન્સીઝના ડિરેક્ટર નીશિથ જોશીએ જણાવ્યું હતું કે,અમારો હેતુ હંમેશા અમારા ગ્રાહકોને અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવાનો રહ્યો છે. બે દાયકાની સફળતાની અમારી સફર અમારા ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. અમે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને સેવાઓ થકી સતત વધી રહેલા અમારા ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવા માટે કટીબદ્ધ છીએ અને આ પ્રકારના ઘણા સીમાચિહ્નની ઉજવણી કરવા આશાસ્પદ છીએ.” ઉજવણીના આ પ્રસંગમાં અતિથિ વિશેષ તરીકે SVNITના પ્રોફેસર ડૉ. પૂર્ણાનંદ ભાલે,SVNITના એસોસિએટ પ્રોફેસર ડૉ. મનીષ રાઠોડ, યુએસએની બ્રેડફોર્ડ વ્હાઈટ કોર્પોરેશનના રિજનલ સેલ્સ મેનેજર (મિડલ ઈસ્ટ અને ભારત) મેથ્યૂ ચેરિયન અને તાઈવાનના રેસ ગ્રુપના સીઈઓ જ્હોન્સન ચેંગ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડસ્ટ્રીના મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ અને ટ્રેડ પાર્ટનર્સની ઉપસ્થિતિએ આ પ્રસંગનું મહત્વ વધાર્યું હતું. બેન્ચમાર્ક એજન્સીઝના ડિરેક્ટર હિરેન સવાઈએ જણાવ્યું હતું કે,“શરૂઆતથી જ ટકાઉપણું અમારું મુખ્ય ફોકસ રહ્યું છે. દરેક વ્યક્તિની જિંદગીમાં ગ્રીન ઈનોવેશન લાવવા માટે અમે સઘન રીતે કામ કર્યું છે. અમારી પ્રતિબદ્ધ ટીમ તેમજ અમારા ક્લાયન્ટના અમૂલ્ય વિશ્વાસની મદદથી જ અમે રહેણાંક અને વ્યાવસાયિક વૉટર હીટિંગ સોલ્યુશન્સમાં શક્ય તમામ હદોને આગળ ધકેલવાનું કાર્ય યથાવત્ રાખીએ છીએ.” ઉજણીના ભાગ રૂપે બેન્ચમાર્કે સેટેલાઈટ વિસ્તારના સનશાઈન બેન્કવેટમાં 150થી વધુ પ્રોડક્ટ્સને પ્રદર્શન માટે મૂકી હતી, જે 2004થી 2024 સુધીના કંપનીના સતત વિકાસને રજૂ કરે છે. પાંચ હજાર ચોરસ ફૂટની જગ્યામાં ફેલાયેલું આ ડિસ્પ્લે 7 જાન્યુઆરી, રવિવાર સુધી જોઈ શકાશે.પર્યાવરણ અને પોતાના ગ્રાહકોની જિંદગીમાં સકારાત્મક અસર લાવવાના પ્રયત્નોના ભાગરૂપે બેન્ચમાર્ક એજન્સીઝ પ્રીમિયમ ગુણવત્તા, સર્વશ્રેષ્ઠ સેવાઓ, ટકાઉ પરિણામો અને અભૂતપૂર્વ ટેક્નોલોજી ઓફર કરવા માટે પ્રતિબદ્ધ છે. 20 વર્ષની પૂર્ણાહૂતિના પ્રસંગે બેન્ચમાર્ક પોતાના ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સપ્લાયર્સ,પાર્ટનર્સ અને લાખો ગ્રાહકો સહિતના તમામ હિતધારકોનો તેમના સમર્થન અને વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરે છે.
આખર-ગુજરાત ફેસ્ટિવલમાં ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સેલિબ્રેશન
કર્મા ફાઉન્ડેશનના સહયોગ તેમજ પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં જાણીતા લેખકો, નવલકથાકારો, કવિઓ અને અન્ય કલાકારો એક મંચ…
શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને રમાકાંત ચતુર્વેદી દ્વારા ઘોડાસરમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું
શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા…
બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સમાં રહેલી સંભાવનાઓને ઓળખ આપતા ‘We Rise Awards & Business Conclave-2024’ યોજાશે
અમદાવાદઃ સફળતા શબ્દ દરેક વ્યવસાયિક માટે ખૂબ જ લાગણીભર્યો શબ્દ હોય છે. સફળતા શબ્દ જ્યારે કોઇપણ વ્યવસાય સાથે જોડાઇ જાય…
ધર્મનો કોઇ પણ પૈસો સરકારની તિજાેરીમાં લેવાતો નથી ઃ નીતિન પટેલ
હાલમાં જ મહંત કમલનયનદાસજીનું નિવેદન સામે આવ્યુ હતુ. જેને લઈ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના અગ્રણી નેતા નીતિન પટેલે પ્રતિક્રિયા…
ખાદી માટે ‘Made in India’ લેબલ રજૂ કરવા QCI અને KVIC વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા
અમદાવાદ :ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) એ ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, કારીગરોને સશક્ત…
વધુ એક ઇન્ટરનેશનલ કંપની ગુજરાતમાં !! VERSUNI India એ અમદાવાદમાં અદ્યતન ફેક્ટરી ખોલી, 1000 નવી જોબ્સનું નિર્માણ
અમદાવાદ ફેક્ટરી ભારતની સમૃદ્ધિ તરફેની પ્રતિબદ્ધતાની નવીનતમ અભિવ્યક્તિ - મૂળમાં સંશોધન, સ્થાનિક રોજગારી અને વૈશ્વિક ધોરણ ભારતઃ વૃદ્ધિ અને સંશોધનની…
FootBall પ્રેમીઓ માટે ખુશ-ખબર!!SK યુનાઈટેડ ઘ્વારા APLની સિઝન-3નું અનાવરણ
અમદાવાદ: એસકે યુનાઈટેડ ફૂટબોલ, ઊભરતી ફૂટબોલ પ્રતિભાઓ માટેનું મુખ્ય વિકાસ કેન્દ્ર, જાન્યુઆરીથી 9 માર્ચ દરમિયાન અમદાવાદ પ્રીમિયર લીગ (APL) ની અત્યંત રાહ જોવાતી સિઝન 3નું આયોજન કરવા માટે તૈયાર છે. ફૂટબોલમાં કારકિર્દી બનાવી રહેલા ખેલાડીઓને ઉચ્ચ સ્તરની તાલીમ અને સમર્થન પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે,SK યુનાઈટેડ ફૂટબોલે એપીએલની રચનામાં આગેવાની લીધી, જે કોવિડ19 રોગચાળા પછી AIFF દ્વારા માન્ય છે. માત્ર બે સીઝનમાં, એપીએલ યુવા ફૂટબોલરો માટે તેમની પ્રતિભા દર્શાવવા અને AIFFના મુખ્ય ગ્રાસરુટ પ્રોગ્રામ હેઠળ રાષ્ટ્રીય પસંદગી માટેના દરવાજા ખોલવા માટે એક અનન્ય પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ છે. માત્ર ત્રણ વર્ષમાં APLની નોંધપાત્ર સફરને પ્રતિબિંબિત કરતા, એસકે યુનાઈટેડ ફૂટબોલના ડિરેક્ટર શિખા ગોસ્વામીએ જણાવ્યું હતું કે,“અમદાવાદ પ્રીમિયર લીગ માત્ર એક ટુર્નામેન્ટ નથી પરંતુ યુવા ફૂટબોલ ખેલાડીઓ માટે તેમનું કૌશલ્ય બતાવવા અને ધ્યાન ખેંચવા માટે એક મહત્વપૂર્ણ પગથિયું છે. પ્રથમ બે સિઝનમાં કેટલાક ખૂબ જ આશાસ્પદ ખેલાડીઓની શોધ થઈ અને અમે આશાવાદી છીએ કે ત્રીજી સિઝન હજુ વધુ રોમાંચક પ્રતિભાઓ શોધી કાઢશે.” પ્રથમ સિઝનમાં માત્ર આઠ ટીમો સાથેની સાધારણ શરૂઆતથી,APL એ ટૂર્નામેન્ટમાં ભાગ લેતી નોંધપાત્ર 34 ટીમો સાથે સિઝન 2 માં ઉત્સાહજનક ઉછાળો અનુભવ્યો હતો.50 થી વધુ ટીમો કિંમતી ટ્રોફી માટે સ્પર્ધા કરી રહી છે, એપીએલની સીઝન 3 એક અસાધારણ ટુર્નામેન્ટ બનવાનું વચન આપે છે. એસકે યુનાઈટેડ ફૂટબોલના ડિરેક્ટર અભિજીત ગોસ્વામીએ જણાવ્યું હતું કે,“અમદાવાદ પ્રીમિયર લીગની અભૂતપૂર્વ વૃદ્ધિ અમારા ખેલાડીઓ, પ્રાયોજકો અને સૌથી અગત્યનું, ચાહકોના સામૂહિક પ્રયાસોને કારણે છે. લીગને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ ઊભરતી પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાના તેના મહત્વ પર ભાર મૂકે છે અને અમદાવાદમાં પ્રીમિયર ફૂટબોલ ટુર્નામેન્ટ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.” ખેલાડીઓને તાલીમ અને કોચિંગ કુશળતાનું યોગ્ય મિશ્રણ પ્રદાન કરવા અને વ્યાવસાયિક ફૂટબોલ કારકિર્દીને આગળ ધપાવવામાં મદદ કરવાના મિશન સાથે સ્થાપિત, એસકે યુનાઈટેડ ફૂટબોલે ઘાતાંકીય વૃદ્ધિનો અનુભવ કર્યો છે. એકેડેમી હવે 719 વય જૂથમાં 150 થી વધુ ખેલાડીઓ, મેલ અને ફિમેલ બંનેનું નર્ચર કરે છે. એકેડેમી માત્ર ખેલાડીઓની કૌશલ્ય…
હવે સફેદ સોનું ગણાતા કપાસના ભાવે ખેડૂતોને રડાવ્યા
ખેડૂતોને એક મણ કપાસના ૧૩૯૦ રૂપિયા ભાવ મળી રહ્યા છેઅમદાવાદ : ક્યારેક માવઠું તો ક્યારેક અતિવૃષ્ટીની આફત બાદ હવે ઓછા…
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા Taj ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા,૨૦૨૪ના શુભ શરૂઆતે સરકારી શાળાના બાળકો માટે ભોજન કરાવવામાં આવ્યું.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત…
