નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નીટ પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન મળેલા યુવક અને યુવતીએ બાદમાં લગ્ન કરી લીધા. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે અને લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. જોકે, આ વીડિયો ખરેખર સાચો છે કે માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે? ચાલો જાણીએ.
વીડિયોમાં શું બતાવવામાં આવ્યું છે?
વાયરલ વીડિયોમાં એક રિપોર્ટર એક યુવકને પૂછે છે, “તમે નીટનું પેપર રોકાવવા ગયા હતા અને લગ્ન કરીને પાછા આવ્યા?” યુવક પોતાનું નામ મોહન શ્રીવાસ્તવ જણાવે છે અને કહે છે કે તે જંતર-મંતર પર લગભગ 15 દિવસ સુધી વિરોધ પ્રદર્શનમાં સામેલ રહ્યો હતો. ત્યાં જ તેની મુલાકાત એક યુવતી સાથે થઈ.
View this post on Instagram
વીડિયોમાં યુવક કહે છે કે યુવતી તેને દરરોજ કંઈક ખાવાનું લાવી આપતી હતી. ક્યારેક લૌંગલતા, ક્યારેક છેના તો ક્યારેક સિંઘાડા ખવડાવતી હતી. આ રીતે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીમે-ધીમે નજીક આવ્યા.
પછી રિપોર્ટર યુવકના માથા પર બાંધેલી પટ્ટી વિશે પૂછે છે. યુવક જણાવે છે કે 20 જુલાઈએ થયેલા લાઠીચાર્જ દરમિયાન તેને ઈજા થઈ હતી. ત્યારબાદ યુવતીએ જ તેની સારવાર કરાવી અને પછી પોતાના પ્રેમનો એકરાર કર્યો. ત્યારબાદ બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા. જોકે, ઘરે પહોંચ્યા બાદ યુવકની માતાએ આ લગ્ન સ્વીકાર્યા ન હોવાનું પણ વીડિયોમાં કહેવામાં આવ્યું છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર રાહુલ કુમાર (@pmbiharicomedy2) નામના ક્રિએટરે શેર કર્યો છે. પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “દિલ્હીના જંતર-મંતર પર આંદોલન કરવા ગયો અને લગ્ન કરીને પાછો આવ્યો.” વીડિયોની લોકપ્રિયતા છતાં આ ઘટના સાચી હોવાનું કોઈ સત્તાવાર પુરાવું નથી. જે ઇન્ફ્લુએન્સરે આ વીડિયો પોસ્ટ કર્યો છે, તેઓ સામાન્ય રીતે આવી હાસ્યાસ્પદ અને સ્ક્રિપ્ટેડ વીડિયો બનાવે છે.
કોઈપણ મોટા મીડિયા હાઉસ અથવા વિશ્વસનીય સ્ત્રોતે પણ આ ઘટનાની પુષ્ટિ કરી નથી. તેથી આ વીડિયો માત્ર મનોરંજન માટે બનાવાયેલ સ્ક્રિપ્ટેડ વીડિયો હોવાની શક્યતા વધુ છે.

