કેટલી સ્પીડ પર ચલાવવાથી કાર આપે છે વધુ માઈલેજ? મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ

Rudra
3 Min Read

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે હવે લોકો કાર ચલાવતી વખતે માત્ર સ્પીડ નહીં, પરંતુ માઈલેજ પર પણ ખાસ ધ્યાન આપવા લાગ્યા છે. ઘણા લોકો માને છે કે સ્પીડમાં કાર ચલાવવાથી સમય બચે છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે વધુ સ્પીડ તમારી ખિસ્સા પર ભારે પડી શકે છે. રિસર્ચ મુજબ, જો કાર યોગ્ય સ્પીડ પર ચલાવવામાં આવે તો ઇંધણની સારી બચત થઈ શકે છે.

Wionના અહેવાલ અનુસાર, ઓટો એક્સપર્ટ્સ કહે છે કે મોટાભાગની પેટ્રોલ અને ડીઝલ કાર માટે 50 થી 60 માઇલ પ્રતિ કલાક એટલે કે અંદાજે 80 થી 95 કિમી પ્રતિ કલાકની સ્પીડ સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ ઝડપે એન્જિન પર વધુ દબાણ પડતું નથી અને કાર ઓછું ઇંધણ વાપરે છે.

70 mph પછી ઝડપથી વધે છે ફ્યૂલ ખર્ચ

રિપોર્ટ મુજબ, જો કારને 60 mphની બદલે 70 mphની સ્પીડ પર ચલાવવામાં આવે તો લગભગ 9 ટકા વધુ ઇંધણ વપરાઈ શકે છે. જ્યારે 80 mphની ઝડપે કાર ચલાવવાથી ફ્યૂલ ખપત લગભગ 25 ટકા સુધી વધી શકે છે. તેનું મુખ્ય કારણ હવાનો દબાણ એટલે કે Air Resistance છે.

વધુ સ્પીડ પર કેમ વધે છે ઇંધણની ખપત?

નિષ્ણાતોનું કહેવું છે કે 50 mph પછી કાર પર હવાનો દબાણ ઝડપથી વધવા લાગે છે.

* જેટલી વધુ સ્પીડ હશે, એન્જિનને એટલી વધુ શક્તિ લગાવવી પડે છે.
* જેના કારણે પેટ્રોલ અને ડીઝલ બંને વધુ વપરાય છે.
* એટલે કે માત્ર કારનું વજન જ નહીં, પરંતુ હવામાં આગળ વધવા માટે પણ વધુ ઇંધણ ખર્ચાય છે.

ખૂબ ધીમી સ્પીડ પણ નુકસાનકારક

માત્ર વધુ સ્પીડ જ નહીં, પરંતુ ખૂબ ધીમી ઝડપ પણ માઈલેજ ખરાબ કરી શકે છે. જો કાર લાંબા સમય સુધી લો ગિયરમાં ચલાવવામાં આવે તો એન્જિનની RPM વધી જાય છે અને વધુ ઇંધણ ખર્ચાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે 50 mph સુધી પહોંચતા કારને સૌથી ઊંચા ગિયરમાં મૂકી દેવી જોઈએ, જેથી એન્જિનને ઓછી મહેનત કરવી પડે.

Cruise Controlથી કેવી રીતે બચે છે પેટ્રોલ?

નિષ્ણાતોનું કહેવું છે કે હાઈવે પર Cruise Controlનો ઉપયોગ કરવાથી કાર એકસરખી ઝડપે ચાલે છે. જેના કારણે વારંવાર બ્રેક મારવાની કે અચાનક એક્સેલરેશન આપવાની જરૂરિયાત ઘટે છે અને ફ્યૂલ બચાવવામાં મદદ મળે છે.

EV માટે આદર્શ સ્પીડ અલગ

Electric Vehicles (EVs) માટે આદર્શ સ્પીડ થોડું ઓછી માનવામાં આવે છે. રિપોર્ટ મુજબ, EVને 40 થી 50 mphની ઝડપે ચલાવવાથી બેટરી વધુ સમય સુધી ચાલે છે અને ઊર્જાની ખપત પણ ઓછી થાય છે.

Share This Article