યુનિયન મ્યુચ્યુઅલ ફંડે યુનિયન લો ડ્યુરેશન ફંડ લોંચ કર્યું

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : યુનિયન મ્યુચ્યુઅલ ફંડે યુનિયન લો ડ્યુરેશન ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ 3થી12 મહિનાની રોકાણની ટૂંકી મુદ્દત માટે તેમના વધારાના નાણા ઉપર વળતર પ્રાપ્ત કરવા ઇચ્છુક રોકાણકારો માટે ડિઝાઇન કરાઇ છે.

આ ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 26 જૂન, 2025ના રોજ ખૂલ્યો છે અને 10 જુલાઇ, 2025ના રોજ બંધ થશે. સ્કીમનો ઉદ્દેશ્ય એક્ટિવ મેનેજમેન્ટ, તરલતા અને સારું રિસ્ક-એડજસ્ટેડ રિટર્નની સંભાવના ઇચ્છતા રોકાણકારોને વિકલ્પ પ્રદાન કરવાનો છે.

આ સ્કીમ ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના મિશ્રણ સાથે રોકાણનો ઉદ્દેશ્ય ધરાવે છે તથા તેનો સમયગાળો 6થી12 મહિનાનો રહેશે. તે ટૂંકાગાળા માટે ફંડમાં રોકાણ કરવા ઇચ્છુક રોકાણકારો માટે આદર્શ પસંદગી બની રહેશે.

અત્યંત ડાયનેમિક માહોલમાં વ્યાજ દરની વધઘટ રોકાણના સમયગાળા દરમિયાન સંભાવનાઓનું સર્જન કરે છે. યુનિયન લો ડ્યુરેશન ફંડ રિટેલથી લઈને સંસ્થાકીય રોકાણકારો સુધીના મહેનતુ રોકાણકારો માટે યોગ્ય છે, જેઓ 3 થી 12 મહિનાના ટૂંકા ગાળામાં આવક સર્જન કરવા ઇચ્છુક છે.

યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ મધુ નાયરે જણાવ્યું હતું કે, આ સ્કીમ ઊંચી ઉપજ હાંસલ કરવા માટે નહીં, પરંતુ તમારા ટૂંકાગાળાના નાણા માટે સ્ટ્રક્ચર અને ટાઇમિંગ ઓફર કરવા વિશે છે. વ્યાજદરો અને વધારાની તરલતાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે અમે સંભવિત ઉપજ સાથે રોકાણકારના વધારાના નાણા માટે રોકાણની યોજના ઓફર કરીએ છીએ.

આ લોંચ યુનિયન એએમસીના આઉટલુકને અનુરૂપ છે, જે સૂચવે છે કે ટૂંકાગાળાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વર્તમાન નાણાકીય ટ્રાન્સમિશન અને આકર્ષક ટૂંકા ગાળાના સ્પ્રેડ વચ્ચે અનુકૂળ સ્થિતિમાં છે.

યુનિયન એએમસીના ફિક્સ્ડ ઇન્કમના વડા પારિજાત અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે તરલતાની સ્થિતિ, કર્વ મૂવમેન્ટ અને વ્યાપક ટ્રેન્ડ્સ ઉપર નજર રાખી રહ્યાં છીએ. લો ડ્યુરેશન વ્યૂહરચના સાથે આ સ્કીમ માટે ઝડપથી કામ કરવાની અમને તક મળી રહે છે.

Share This Article