કેન્સર પિડિત મહિલાની કાકા બા હોસ્પિટલમાં નિઃશુલ્ક સર્જરી, મળ્યું નવજીવન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુરત: નાણાકીય બોજ વિના આરોગ્યસંભાળ પ્રદાન કરતા ભરૂચના હાંસોટ તાલુકામાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા સંચાલિત ચેરિટેબલ હોસ્પિટલ, કાકાબા હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ નિઃશુલ્ક કેન્સર સર્જરી કરવામાં આવી. સુરત જિલ્લાના માંડવીના 52 વર્ષીય સરલા વરસાદ પેટમાં અતિશય દુઃખાવાથી પીડાઈ રહ્યાં હતા, જાન્યુઆરી 2025માં એપેન્ડિક્સ અને કોલાઇટિસ માટે લેપ્રોસ્કોપિક એપેન્ડેક્ટોમી કરાવી હતી, આ ઉપરાંત તેમણે અનેક જગ્યાએએ જઇને તપાસ કરાવી હતી, પરંતુ સચોટ નિદાન થયું ન હતું.

એપ્રિલમાં, એડવાન્સ્ડ ઇમેજિંગમાં ઇલિયોસેકલ જંકશન પર બળતરા અને પીડાનું મૂળ કારણ સામે આવ્યું. ત્યારબાદ તેણીને કાકા બા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જન ડૉ. જીગ્નેશ પટેલેના નેત્વૃત્વમાં સારવાર કરવામાં આવી. 21 મેના રોજ, ડૉ. પટેલે જમણી તરફના હેમિકોલેક્ટોમીમાં કોલોનના અસરગ્રસ્ત ભાગને દૂર કર્યો. 26 મેના રોજ સરલા વરસાદને રજા આપવામાં આવી હતી. પોસ્ટ-ઓપરેટિવ હિસ્ટોપેથોલોજી તપાસમાં દર્દીને કોલોન કેન્સરના એક સ્વરૂપ, કોલોન એડેનોકાર્સિનોમા હોવાનું નિદાન થયું. દર્દીને હવે પોસ્ટ-સર્જીકલ સારવારના ભાગ રૂપે કીમોથેરાપી માટે રિફર કરવામાં આવ્યા.

સમગ્ર સર્જિકલ પ્રક્રિયા, હોસ્પિટલમાં રોકાણ અને સારવાર PMJAY હેઠળ આવરી લેવામાં આવી હતી, અને સરલા વરસાદને નાણાકીય મુશ્કેલી વિના ઉચ્ચ ગુણવત્તાની સંભાળ મળી હતી. આ કેસ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા યોગ્ય આરોગ્યસંભાળ પ્રત્યે હોસ્પિટલની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડે છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાજીવ આઈ. મોદીએ જણાવ્યું હતું કે, “સરલાબેનની સ્વસ્થતા આપણા બધા માટે ગર્વની ક્ષણ છે અને આરોગ્યસંભાળ એ મૂળભૂત અધિકાર છે તેવી અમારી માન્યતાની ફરીથી પુષ્ટિ આપે છે. કાકા બા હોસ્પિટલ દ્વારા અમારું મિશન સમાજના સૌથી સંવેદનશીલ વર્ગોને ગુણવત્તાયુક્ત તબીબી સહાય પહોંચાડવાનું છે.”

સરલા વરસાદે જણાવ્યું હતું કે, “મેં જીવવાની આશા ગુમાવી દીધી હતી. હોસ્પિટલની દરેક મુલાકાત રસ્તાના અંત જેવી લાગતી હતી. પરંતુ કાકા બા હોસ્પિટલમાં, મને યોગ્ય સારવાર અને સંભાળ સાથે જીવન જીવવાનો બીજો મોકો મળ્યો.”

આ માત્ર સરલાબેનની વાત નથી. કાકા બા હોસ્પિટલ ગુજરાત અને પડોશી રાજ્યોમાં અનેક દર્દીઓ માટે આશાના કિરણ તરીકે ઉભરી આવી છે. તે વંચીત અને આર્થિક પછાત લોકોને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પ્રદાન કરે છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા સમર્થિત, હોસ્પિટલ ચેરીટેબલ ઇનિશિયેટીવ અને સરકારી યોજનાઓ બંને હેઠળ નિઃશુલ્ક અને સહાયિત સર્જરી અને સારવાર પ્રદાન કરે છે.

Share This Article