ગુરુપૂર્ણિમાએ રાંચરડાના શ્રી નીમ કરોરી મહારાજ મંદિરમાં દિવસભર ભક્તિમય કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસરે રાંચરડા સ્થિત શ્રી નીમ કરોરી મહારાજ મંદિર ખાતે બુધવાર, 29 જુલાઈના રોજ દિવસભર વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ ગર્ગના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ ભક્તજનો તેમજ સ્થાનિક નાગરિકોને ગુરુ ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે જોડવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમની શરૂઆત સવારે 8:00 વાગ્યે 1,111 દૂધની બોટલના વિતરણથી થશે. ત્યારબાદ સવારે 11:00 વાગ્યે શાળાના 200 બાળકો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.

સાંજે 7:00 વાગ્યે 21 હનુમાન ચાલીસાના પાઠ યોજાશે. ત્યારબાદ રાત્રે 8:00 વાગ્યે ગુરુ ભજન અને પાદુકા દર્શનનો કાર્યક્રમ યોજાશે. અંતે રાત્રે 8:45 વાગ્યે મહાઆરતી બાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તજનો અને શ્રદ્ધાળુઓને ગુરુપૂર્ણિમાના આ પવિત્ર કાર્યક્રમમાં સહભાગી બની ગુરુ પૂજન અને આશીર્વાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share This Article