પ્રભાખેતાન ફાઉન્ડેશન”, “અહેસાસ-વુમન”, “કર્મા ફાઉન્ડેશન” અને “ધ હાઉસ ઓફ એમજી” ના સહયોગથી 25 જુન, 2022 શનિવારની સાંજ કવિયત્રી ચિત્રા દેસાઈની કલમની સુવાસથી મહેંકી ઉઠી. આ કાર્યક્રમનું સંચાલન સાહિત્ય રસિક એવા કવિ રવીન્દ્ર મરડિયા એ કર્યું . ચિત્રા દેસાઈની કવિતાની સફરની મઝા ત્યાં ઉપસ્થિત સૌ શ્રોતા ગણે માણી. જ્યારે એમના પુસ્તકની ” सरसों से अमलतास ” ની વાત કરી ત્યારે વતન સાથે જોડાયેલ લાગણી ના દ્રશ્યો આંખ સામે તરવરી આવ્યાં. અને “दरारों में उगी दूब” કાવ્ય સંગ્રહમાં થી સુંદર કાવ્યોનું પઠન પણ એમની આગવી છટા સાથે થયું.
તાંત્રિક વિધિની બહાને યુવતી પર દુષ્કર્મ આચરનાર જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષ કેદની સજા
સુરત : આઠ વર્ષ પહેલા સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચરનાર જૈન મુનિ...
Read more