બજારમાં કડાકો : સેંસેક્સમાં ૨૮૪ પોઇન્ટ સુધીનો ઘટાડો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : શેરબજારમાં આજે સવારો કારોબાર શરૂ થયા બાદ કડાકો બોલી ગયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસક્સમાં ૨૯૪ પોઇન્ટનો ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી ૩૮૮૫૭ રહી હતી. નિફ્ટી ૯૨ પોઇન્ટ ઘટીને ૧૧૬૬૦ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન મંદી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટમાં ખૂબ સારો દેખાવ રહ્યો હતો. બંને ચાવીરૂપ ઈન્ડેક્સમાં આશરે એક ટકાનો ઉછાળો રહ્યો હતો. પસંદગીના હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, ટીસીએસ અને ટાટા મોટર્સના શેરમાં ઉછાળો નોંધાયો હતો. છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ક્રમશઃ ૩૯૪૮૭ અને ૧૧૮૫૬ની સપાટી જાવા મળી હતી. જાણકાર લોકો એમ પણ માની રહ્યા છે કે ચુંટણીની અસર પણ જોવા મળી રહી છે. ચુંટણી પરિણામ ૨૩મી મેના દિવસે જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહી શકે છે.

ચુંટણી પુરી ન થાય ત્યાં સુધી દબાણની સ્થિતિ રહેશે. મોટાભાગના લોકો માની રહ્યા છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી સત્તામાં આવશે . એફપીઆઈ પ્રવાહની ચર્ચા પણ જોવા મળી રહી છે. એપ્રિલ મહિનામાં હજુ સુધી એફપીઆઈ દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. રૂપિયાની દિશા કેવી રહેશે તેના ઉપર પણ રોકાણકારોની નજર રહેશે. સાપ્તાહિક આધાર ઉપર છેલ્લા સપ્તાહમાં રૂપિયો ૧૮ પૈસા ઘટી ગયો હતો. વૈશ્વિક સ્તેર પણ ઘટનાક્રમ જાવા મળશે. બેંક ઓફ જાપાનની બેઠક આજે મળી રહી છે. ગુરૂવારના દિવસે વ્યાજદરના સંદર્ભમાં પરિણામ જાહેર કરાશે.વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક સ્તર પર લિક્વિડિટીની સ્થિતિને લઈને માહોલ સુધરી રહ્યો છે.

આંકડા દર્શાવે છે કે વિદેશી મૂડીરોકાણકારોએ અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવ્યા હતા જે પૈકી ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. તે પહેલા જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ડિપોઝીટરી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે પહેલીથી ૧૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઈÂક્વટીમાં ૧૪૩૦૦.૨૨ કરોડ રૂપિયા ઠાલવ્યા છે.

Share This Article