ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ માટે તખ્તો ગોઠવાયો

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

માઉન્ટ : જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીન બીજી મેચ આવતીકાલે માઉન્ટ ખાતે રમાનાર છે. નેપિયર ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી લીધા બાદ ભારતીય ટીમ માઉન્ટ ખાતેની બીજી મેચ જીતીને નિર્ણાયક લીડ મેળવી લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. શ્રેણીમાં બંને ટીમો ધરખમ દેખાવ કરવા માટે તૈયાર છે. વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યા બાદ રોહિત શર્મા ટીમનુ નેતૃત્વ કરનાર છે.  ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ અને વન ડે શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચી ચુકી છે. હવે ન્યુઝીલેન્ડમાં શ્રેણી જીત મેળવી લેવા માટે ટીમે ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. બંને ટીમોના બેટ્‌સમેનો અને બોલર સારા ફોર્મમાં ચાલી રહ્યા છે.

શ્રેણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી ૨-૧થી જીતીને ન્યૂઝીલેન્ડમાં એન્ટ્રી કરી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જારદાર જીત મેળવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. નેપિયર મેચ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છેલ્લી વન ડે મેચ ૧૯મી જૂન ૨૦૧૪ના દિવસે રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે ૨૯૨ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૪૮.૪ ઓવરમાં ૨૬૮ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ન્યૂઝીલેન્ડે આ મેચ ૨૪ રની જીતી લીધી હતી. તે વખતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ધોની અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે મેક્કુલમ હતા. જારદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ આ મેદાન ઉપર પણ અગાઉ સદી ફટકારી હતી. ૨૦૧૪માં ૧૧૧ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૨૩ રનની ઈનિંગ્સ રમી હતી.

ઉપરાંત ઉપરાંત ભારત માટે વિરેન્દ્ર સહેવાગે ૨૦૦૨માં આજ મેદાન ઉપર ૧૦૮ રનની ઈનિંગ્સ રમી હતી. ન્યુઝીલેન્ડની ટીમ પણ જારદાર ફોર્મમાં છે. ગુÂપ્ટલ, રોષ ટેલર જેવા બેટ્‌સમેનોથી ભારતને સાવધાન રહેવાની જરૂર રહેશે.અત્રે નોંધનીય છે કે નેપિયરના મેદાન ઉપર રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ પર ભારતે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ૮૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે આઠ વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૧૫૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય ટીમ બે વિકેટે ૧૫૬ રન કરીને આ મેચ જીતી ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી આ મેચમાં કેપ્ટન વિલિયમસને ૬૪ રનની ઇનિંગ્સ રમી હતી. બાકીના ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. મેચનુ પ્રસારણ આવતીકાલે સવારે સાત વાગ્યાથી કરાશે

ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન), બોલ્ટ, બ્રેસવેલ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુÂપ્ટલ, મેટ હેનરી, ટોમ લાથમ, કોલિન મુનરો, હેનરી નિકોલસ, માઇકલ સેન્ટર, ઇશ શોધી, ટીમ સાઉથી, રોસ ટેલર

ભારતીય  :  રોહિત શર્મા ( કેપ્ટન)  યુજવેન્દ્ર , શિખર ધવન, ધોની, જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ, ભુવનેશ્વર, સામી, શિરાજ, શંકર, શુબમન ગિલ, જસપ્રિત, હાર્દિક, લોકેશ રાહુલ..

 

Share This Article