શુભમન ગિલના કેપ્ટન બનાવાની સાથે જ આ પાંચ ભારતીય ક્રિકેટરનું ટેસ્ટ કરિયર થયું ખતમ!

Rudra
2 Min Read

શુભમન ગિલ (Shubman Gill) ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન બન્યા બાદ ટીમમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. કેટલાક ખેલાડીઓને સતત તક મળી રહી છે, જ્યારે કેટલાક અનુભવી અને પ્રતિભાશાળી ક્રિકેટરો હવે પસંદગીકારોની યોજનાઓથી દૂર જતા દેખાઈ રહ્યા છે. ચર્ચા છે કે આવા પાંચ ખેલાડીઓનું ટેસ્ટ કરિયર હવે લગભગ સમાપ્ત માનવામાં આવી રહ્યું છે.

સરફરાજ ખાન

સરફરાજ ખાન (Sarfaraz Khan)ને એક સમય ભારતીય ટેસ્ટ ટીમનું ભવિષ્ય માનવામાં આવતો હતો. તેણે ઓછી ટેસ્ટમાં જ સારા રન બનાવી પોતાની પ્રતિભા સાબિત કરી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી તેને સતત અવગણવામાં આવી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ સ્થાન ન મળતા તેના ભવિષ્ય પર પ્રશ્નો ઊભા થયા છે.

મોહમ્મદ શમી

ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Shami) લાંબા સમયથી ટેસ્ટ ટીમની બહાર છે. ઈજાઓ અને ટીમ કોમ્બિનેશનના કારણે તેમને ફરી તક મળવી મુશ્કેલ માનવામાં આવી રહી છે. તેમ છતાં શમીએ નિવૃત્તિ અંગે કોઈ સંકેત આપ્યા નથી અને તેઓ હજુ ક્રિકેટ રમવા તૈયાર હોવાનું કહી ચૂક્યા છે.

જયદેવ ઉનડકટ

જયદેવ ઉનડકટ (Jaydev Unadkat)ને વર્ષો પછી ટીમ ઇન્ડિયામાં તક મળી હતી, પરંતુ તે લાંબા સમય સુધી પોતાની જગ્યા જાળવી શક્યા નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે અને હવે ટેસ્ટ ટીમમાં વાપસીની શક્યતાઓ ખૂબ ઓછી માનવામાં આવે છે.

કેએસ ભરત

વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત (KS Bharat) માટે પણ સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. Rishabh Pant અને Dhruv Jurel જેવા વિકેટકીપર વિકલ્પોની હાજરીમાં હવે તેમને ફરી ટેસ્ટ ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.

મુકેશ કુમાર

ફાસ્ટ બોલર મુકેશ કુમાર (Mukesh Kumar)ને શરૂઆતમાં તક મળી હતી, પરંતુ તેઓ ટીમમાં પોતાની જગ્યા મજબૂત બનાવી શક્યા નથી. લાંબા સમયથી બહાર રહેલા મુકેશ માટે હવે વાપસીનો રસ્તો કઠિન બન્યો છે.

ભારતીય ટેસ્ટ ટીમમાં સતત સ્પર્ધા અને નવા ખેલાડીઓની એન્ટ્રીને કારણે હવે સિનિયર ખેલાડીઓ માટે જગ્યા જાળવી રાખવી વધુ મુશ્કેલ બની રહી છે. આગામી સમયમાં પસંદગીકારો કયા ખેલાડીઓને ફરી તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

Share This Article