અમદાવાદ શહેરના હવા પ્રદૂષણના નિયંત્રણ અંગેનો અભ્યાસ કરવા ૧૧ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતીની રચના

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરના એર પોલ્યુશનના સાચા કારણો જાણી તેના નિયંત્રણ અને પિરાણાના ઢગલાની સમસ્યા અન્વયે અભ્યાસ કરવા ૧૧ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતીની રચના કરી છે.

વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચાનારી આ ઉચ્ચસ્તરીય સમિતીમાં અન્ય સરકારી સભ્યો તરીકે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, અમદાવાદ મહાપાલિકાના કમિશનર, વાહન વ્યવહાર કમિશનર રહેશે.

સમિતીના અન્ય સભ્યો તરીકે અર્બન ટ્રાન્સપોર્ટ તજ્જ્ઞ પ્રો. શિવાનંદ સ્વામી, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ અમદાવાદના પ્રો. જી.એચ.બન, વન અને પર્યાવરણ વિભાગના નિયામક, એલ.ડી. ઇજનેરી કોલેજના નિવૃત પ્રોફેસર જે. એન. જોષી, ગુજરાત કલીનર પ્રોડકશન સેન્ટરના સભ્ય સચિવ  ડૉ. ભરત જૈનની નિયુકિત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવશ્રી આ ઉચ્ચસ્તરીય સમિતીના કન્વીનર રહેશે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ગત પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ શહેરના એર પોલ્યુશન નિયંત્રણ તેમજ પિરાણાના કચરાના ઢગલાની સમસ્યા અંગે ચિંતા વ્યકત કરી હતી.

તેમણે તે વેળાએ હવા પ્રદૂષણના ખરા કારણો જાણવા ઉચ્ચ કિમટી બનાવવાની અને એક વર્ષમાં અમદાવાદમાં હવા પ્રદૂષણ ઓછું કરવાની વ્યકત કરેલી નેમના સકારાત્મક પ્રતિસાદ રૂપે આ ઉચ્ચસ્તરીય સમિતીની રચના કરવામાં આવી છે.

Share This Article