વિશ્વ ઉમિયાધામ ખાતે નૈસર્ગિક ઉપચાર કેન્દ્રની શરૂઆત, ઓપરેશન અને દવા વગર થશે મફતમાં સારવાર

Rudra
2 Min Read

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા શિવ અને શક્તિના ધામ સમા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંદિર નિર્માણની સાથે સાથે આરોગ્ય, એજ્યુકેશન, બિઝનેસ, સ્પોર્ટ્સ અને કલ્ચર એક્ટિવિટી સહિત અનેક 22 થી વધારે પ્રવૃત્તિઓ વિશ્વ ઉમિયા ધામના માધ્યમ દ્વારા દેશ અને દુનિયામાં ચાલી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદના વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે નૈસર્ગિક ઉપચાર કેન્દ્રની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવા પ્રમુખ આર. પી. પટેલના હસ્તે શરુઆત કરવામાં આવેલ છે.

વિશ્વ ઉમિયાધામ નૈસર્ગિક ઉપચાર કેન્દ્રમાં કોઈપણ પ્રકારની દવા અને ઓપરેશન વગર દર્દીઓને સારવાર કરવામાં આવશે. લાંબા સમયથી થતા દુખાવા અને નસના કારણે થતા દુખાવાની નૈસર્ગિક ઉપચાર કેન્દ્રમાં સારવાર કરવામાં આવશે. વિશ્વ ઉમિયાધામ નૈસર્ગિક ઉપચાર કેન્દ્રમાં 100% દવા વગર અને 100% કુદરતી ઉપચાર કરવામાં આવે છે.

- Advertisement -
Ad imageAd image

આ સંદર્ભે વાત કરતા સંસ્થાના પ્રણેતા એવા પ્રમુખ આર પી પટેલે જણાવ્યું કે વિશ્વ ઉમિયા ધામ દ્વારા હેલ્થ – એજ્યુકેશન- સ્પોર્ટ્સ સહિત અનેક ક્ષેત્રોમાં કામ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નૈસર્ગિક ઉપચાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે જેનાથી અમદાવાદ સહિત રાજ્યભરના અને લાંબા સમયથી શારીરિક પીડાઓ સહન કરતા દર્દીઓને મા ઉમિયા ની શરણમાં રાહત મળશે અને સારા સ્વાસ્થ્યની કામના સાથે પાછા ઘરે જશે.

મહત્વનું છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સહયોગથી અમદાવાદના નરોડા વિસ્તારમાં પાર્વતી જાદવ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે જેમાં રોજના અનેક દર્દીઓ વિવિધ પ્રકારની હેલ્થની સેવાઓ લઈ રહ્યા છે. જેમાં 30થી વધારે ડોક્ટરો સેવા આપી રહ્યા છે અને MRI અને સોનોગ્રાફી સહિતની હાઈટેક સુવિધાઓ પણ દર્દીને આપવામાં આવી રહી છે. પાર્વતી જાદવ હોસ્પિટલમાં ICU તેમ જ બાળકો માટે NICUની પણ સુવિધા આપવામાં આવી છે.

નૈસર્ગિક ઉપચાર કેન્દ્રમાં 14 જૂન સુધી ફ્રી ચેકઅપ અને સારવાર રાખવામાં આવેલ છે જેનો લાભ સર્વે સનાતની ભાઈ બહેનો લઈ શકશે જેની નોંધ લેવા વિનંતી છે.

નીચે મુજબની લીંક પરથી તમે તમારું નામ રજીસ્ટર કરી શકો છો

https://www.vuf.org/form/free-naturopathy-camp

Share This Article