શું તમને ખબર છે? રેલવે સ્ટેશન પર મેડિકલ સ્ટોર કેમ નથી હોતી? જો ટ્રેનમાં તબિયત ખરાબ થાય તો શું કરવું?

Rudra
2 Min Read

આપણે જ્યારે પણ ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે ઘણી ટ્રેનોમાં ટિકિટ સાથે ભોજન પસંદ કરવાની સુવિધા મળે છે. ઉપરાંત, મોટા ભાગના લોકો રેલવે સ્ટેશન પર આવેલી દુકાનોમાંથી રેલ નીર, ચા, નમકીન, બિસ્કિટ અને અન્ય ખાદ્ય વસ્તુઓ ખરીદતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય રેલવે પ્લેટફોર્મ પર મેડિકલ સ્ટોર (દવાખાનું) જોયું છે? શું તમે વિચાર્યું છે કે પ્લેટફોર્મ પર અલગથી મેડિકલ સ્ટોર કેમ નથી હોતાં? ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

પ્લેટફોર્મ પર મેડિકલ સ્ટોર કેમ નથી?

રેલવેના જૂના નિયમો મુજબ, રેલવે સ્ટેશન પર મેડિકલ સ્ટોર ખોલવાની મંજૂરી આપવામાં આવતી હતી. વર્ષ 2001માં રેલવે બોર્ડે જણાવ્યું હતું કે જ્યાં ડૉક્ટરની સુવિધા ઉપલબ્ધ હોય તેવા રેલવે સ્ટેશનો પર દવાખાનું ખોલવા માટે મહત્તમ 108 ચોરસ ફૂટ જગ્યા પૂરતી ગણાશે. પરંતુ હવે રેલવેએ આ નિયમોમાં ફેરફાર કર્યો છે. હાલમાં રેલવે સ્ટેશનો પર અલગથી મેડિકલ સ્ટોર ખોલવાને બદલે MPS (મલ્ટી પર્પઝ સ્ટોલ)ને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અગાઉ પ્લેટફોર્મ પર કેમિસ્ટ શોપ, સામાન્ય સામાનની દુકાન અને બુક સ્ટોલ અલગ-અલગ હતાં. જેના કારણે પ્લેટફોર્મ પર વધુ જગ્યા રોકાતી હતી અને મુસાફરોને અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હતી. આ કારણસર હવે મલ્ટી પર્પઝ સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં એક જ દુકાનમાં વિવિધ પ્રકારનો સામાન ઉપલબ્ધ હોય છે.

શું MPS સ્ટોલ પર દવાઓ મળે છે?

MPS સ્ટોલ પર એવી દવાઓ મળી શકે છે, જે ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાય છે. જેમ કે માથાનો દુખાવો, તાવ વગેરે માટેની સામાન્ય દવાઓ. અલગથી મેડિકલ સ્ટોર ખોલવાને બદલે આવી દવાઓ પણ હવે MPS સ્ટોલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ટ્રેનમાં મુસાફરી દરમિયાન તબિયત બગડે તો શું કરવું?

જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક તબિયત ખરાબ થઈ જાય, તો TTE, ટ્રેન ગાર્ડ, ટ્રેન સુપરિન્ટેન્ડન્ટ અને સ્ટેશન માસ્ટરને પ્રાથમિક સારવાર (First Aid) અંગે તાલીમ આપવામાં આવે છે. તેમની પાસે ડૉક્ટરો અને નજીકની હોસ્પિટલોની સંપર્ક વિગતો પણ ઉપલબ્ધ હોય છે. જરૂર પડ્યે તમે તેમની મદદ લઈ શકો છો. આ ઉપરાંત, ટ્રેનોમાં મેડિકલ બોક્સ (First Aid Box) પણ ઉપલબ્ધ હોય છે, જેનો ઉપયોગ ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવે છે.

Share This Article