‘તારક મહેતા…”શો ફેમસ એક્ટર સુનીલ હોલકરનું ૪૦ વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

2 Min Read

ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સિરિયલોમાંની એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. સિરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું છે. સુનીલે ૪૦ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું. સુનીલની વિદાયથી તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની અને ૨ બાળકો હતા. અભિનેતાના બંને બાળકો ઉંમરમાં ઘણા નાના છે. અભિનેતાના આ દુનિયામાંથી અચાનક જ વિદાયથી તેના ચાહકો પણ ખૂબ જ દુઃખી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સુનીલ હોલકર ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. તેને લીવર સોરાયસીસ હતો. જેના માટે તે સતત ડોક્ટરની સલાહ લેતો હતો. પરંતુ, અચાનક તેની તબિયત બગડી અને તેણે ૧૩ જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુનીલે પોતાની જોરદાર કોમેડીથી દર્શકોને ખૂબ હસાવ્યા હતા. સુનીલ હોલકર છેલ્લે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ગોશ્ત એક પૈઠાની’માં કામ કરતો જોવા મળ્યો હતો. સુનીલ નાટક, ફિલ્મો અને ટીવી સિરિયલો દ્વારા સતત દર્શકોનું મનોરંજન કરતો હતો. તે ૧૨ વર્ષથી વધુ સમયથી મનોરંજનની દુનિયામાં સક્રિય હતો. આવી સ્થિતિમાં તારક મહેતામાં તેને જોનારા દર્શકો તેની વિદાયથી ખૂબ જ દુઃખી  છે. ફેમસ સિરિયલમાં તેનું પાત્ર આજે પણ દર્શકોને યાદ છે. સુનીલ હોલકરને પહેલેથી જ એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે તેની પાસે સમય બચ્યો નથી. તેણે એક મિત્રને વોટ્‌સએપ સ્ટેટસ પર પોતાનો છેલ્લો મેસેજ શેર કરવા કહ્યું હતું. જેમાં તેણે કહ્યું કે આ તેની ‘છેલ્લી પોસ્ટ’ છે. સુનીલે ઘણા વર્ષો સુધી અશોક હાથની ચોરંગા નાટ્ય સંસ્થામાં પણ કામ કર્યું હતું. હવે અભિનેતાનો છેલ્લો મેસેજ ચર્ચામાં છે, જેના માટે તેનો પરિવાર અને મિત્રો ખૂબ જ દુઃખી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *