પ્રાચીન સમયથી તાંબાના વાસણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં પણ ગામડામાં કેટલીક જગ્યાએ લોકો તાંબના વાસણમાં જ પાણી પીવે છે. તાંબાના વાસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને તાંબાના ગુણને માન્યતા આપે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે પાણીને આખી રાત 8 કલાક સુધી તાંબાના વાસણમાં રાખવામાં આવે છે, તો તાંબાના કેટલાક સૂક્ષ્મ તત્વો પાણીમાં ભળી જાય છે, જેને તામ્ર જલ કહેવામાં આવે છે. તાંબામાં એન્ટીબેક્ટરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદા પહોંચાડે છે. એવામાં અમે તમને જણાવીશું કે, સવાર સવારમાં ખાલી પેટે તાંબાના વાસણમાં પાણી પીવાથી શું લાભ થાય છે.
તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા
પાચનક્રિયા સુધારે
તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી પેટની સમસ્યાઓ જેમ કે ગેસ, એસિડિટી અને કપાતમાંથી રાહત મળી શકે છે અને પાચનતંત્રને ડિટોક્સ કરવામાં મદદરૂપ બને છે. જો તમને ગેસ અથવા કપાતની સમસ્યા હોય, તો રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરી મૂકો અને સવારે ખાલી પેટે પીવો.
રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધારે
તાંબામાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે શરીરને ઈન્ફેક્શનથી બચાવવામાં પણ સહાય કરે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
તાંબામાં એવા ગુણધર્મ હોય છે જે મેટાબોલિઝમને સુધારે છે અને શરીરમાંથી ચરબી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. જો તમે વધેલા વજનથી પરેશાન છો, તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું ફાયદાકારક બની શકે છે.
એન્ટી-એજિંગ ગુણધર્મ
તાંબું મેલાનિનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે અને એન્ટી-ઑક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેના કારણે ત્વચા સ્વસ્થ અને તેજસ્વી રહે છે અને વૃદ્ધાવસ્થાની લક્ષણોને ઓછા કરવામાં સહાય કરે છે.
હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે
તાંબું કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે બ્લડ ફ્લો સુધરે છે અને હાઇ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવામાં મદદરૂપ થાય છે.
લોહીની ઉણપ દૂર થાય
તાંબું શરીરને આયર્નને સારી રીતે શોષવામાં મદદ કરે છે, જે હિમોગ્લોબિન બનાવવા માટે જરૂરી છે અને રક્તાલ્પતાની સમસ્યા ઘટાડવામાં ઉપયોગી છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. આરોગ્ય સંબંધિત કોઈપણ પ્રકારના ફિટનેસ કાર્યક્રમ શરૂ કરતા પહેલાં, તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલાં અથવા કોઈપણ રોગના ઉપચાર માટે કંઈપણ અજમાવતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લો. ઇન્ડિયા ટીવી અહીં દર્શાવાયેલા કોઈપણ દાવાની પ્રામાણિકતા માટે જવાબદાર નથી.
